AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J&K : ઉધમપુરમાં આતંકવાદી હુમલો, CRPF ઈન્સ્પેક્ટર શહીદ

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સીઆરપીએફ અને SOGની સંયુક્ત ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં સીઆરપીએફના એક ઈન્સ્પેક્ટર શહીદ થયો છે. આ પહેલા ગત, 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

J&K : ઉધમપુરમાં આતંકવાદી હુમલો, CRPF ઈન્સ્પેક્ટર શહીદ
Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2024 | 7:31 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો પર આતંકી હુમલા વધી રહ્યા છે. ઉધમપુરના ડુડુ બસંતગઢમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરમા સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ પર થયો હતો. આતંકી હુમલામાં એક ઈન્સ્પેક્ટર શહીદ થયો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ પહેલા ગત, 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરક્ષા દળો પેટ્રોલિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જંગલમાં આતંકવાદીઓ સાથે સામનો થયો હતો. એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક ઈન્સ્પેકટર શહીદ થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આસપાસના વિસ્તારને મોટા પાયે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફ ઈન્સ્પેક્ટર કુલદીપ સિંહ શહીદ થયા છે. કુલદીપ હરિયાણાના રહેવાસી છે.

વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ વધી

છેલ્લા કેટલાક વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ શાંત રહ્યાં હતા, પરંતુ હવે તેમના હુમલા જમ્મુ ક્ષેત્રમાં વધી રહ્યા છે. ઉધમપુરનો વિસ્તાર ઘણા વર્ષોથી કાશ્મીરની તુલનામાં શાંતિપૂર્ણ છે. પરંતુ હવે અહીં પણ હુમલા વધી ગયા છે. આ વિસ્તારમાં ખાસ કરીને પીર પંજાલ રેન્જના દક્ષિણી વિસ્તારોમાં આતંકી પ્રવૃત્તિમાં વધારો થયો છે. આ વિસ્તારોમાં ખૂબ જ ગાઢ જંગલો અને ઢોળાવવાળી ટેકરીઓ વાળો છે, જે આતંકવાદીઓને છુપાવવામાં મદદ કરે છે. જો કે, સુરક્ષા દળો સતત સ્પેશિયલ ઓપરેશન ચલાવીને આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે.

સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક

આ વિસ્તારમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓને જોતા સરકારે પણ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે એન્કાઉન્ટર અને ઓચિંતા હુમલાઓ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">