એસ જયશંકર ઈટાલીના વિદેશ મંત્રીને મળ્યા, યુક્રેન સંઘર્ષ અને કોરોના સંકટને લઈને બંને દેશો વચ્ચે થઈ ચર્ચા

જયશંકરે (S Jaishankar) ટ્વીટ કર્યું કે ઈટાલીના વિદેશ મંત્રી લુઇગી ડી મેયો સાથે તેમની સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક મુલાકાત થઈ. આ બેઠકમાં સાયબર સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અવકાશના ક્ષેત્રોમાં અમારા વધતા સહકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

એસ જયશંકર ઈટાલીના વિદેશ મંત્રીને મળ્યા, યુક્રેન સંઘર્ષ અને કોરોના સંકટને લઈને બંને દેશો વચ્ચે થઈ ચર્ચા
S Jaishankar - Luigi Di Maio
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 7:08 PM

ભારતની મુલાકાતે આવેલા ઈટાલીના વિદેશ મંત્રી લુઇગી ડી મેયોએ (Foreign Minister Luigi Di Maio) શુક્રવારે વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને કોરોના સંકટ ઉપરાંત વેપાર અને રોકાણ ઉપરાંત સાયબર સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને અવકાશ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રી એસ જયશંકરે ફોટો સાથે ટ્વીટ કર્યું કે, ઇટાલીના વિદેશ મંત્રી લુઇગી ડી મેયોનું ભારતની પ્રથમ મુલાકાતે સ્વાગત કરતા આનંદ થાય છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, હું અમારી વાતચીતની રાહ જોઈ રહ્યો છું. ઇટાલીના વિદેશ મંત્રી લુઇગી ડી મેયો 4 થી 6 મે દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમની સાથે ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને વેપારી પ્રતિનિધિ મંડળ પણ છે.

વિદેશ મંત્રી જયશંકરનું ટ્વીટ

જયશંકરે ટ્વીટ કર્યું કે ઈટાલીના વિદેશ મંત્રી લુઇગી ડી મેયો સાથે તેમની સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક મુલાકાત થઈ. આ બેઠકમાં સાયબર સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અવકાશના ક્ષેત્રોમાં અમારા વધતા સહકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે મેક ઈન ઈન્ડિયામાં ઈટાલિયન કંપનીઓની વધતી જતી રુચિ અને ટેક્નોલોજી ટ્રાન્સફર આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે તે અંગે સહમતિ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વેપાર, ઉર્જા અને ગ્રીન ટ્રાન્ઝિશનના ક્ષેત્રોમાં સુધારો કરવા માટે યુરોપિયન યુનિયન સાથે સહકારની પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, યુક્રેન યુદ્ધ અંગેની ટ્વિટમાં, જયશંકરે કહ્યું કે યુક્રેન સંઘર્ષ અને તેની અસરો, કોવિડ અને ઈન્ડો-પેસિફિક પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.

ઈટાલીના વિદેશ મંત્રી દિલ્હી આવતા પહેલા કર્ણાટકની મુલાકાત લીધી હતી

ઇટાલીના વિદેશ પ્રધાન મેયો તેમની મુલાકાતની શરૂઆતમાં ગુરુવારે બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજને મળ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઇટાલિયન વિદેશ પ્રધાનની ભારતની મુલાકાત બંને પક્ષોને તેમના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવાની અને પ્રાથમિકતાના ક્ષેત્રોમાં તેમના નજીકના સંબંધોને વધુ વધારવાની તક પૂરી પાડશે.

બંને પક્ષો વચ્ચેની વાતચીતમાં ખાસ કરીને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સ્વચ્છ અને હરિયાળી ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રીઓ જયશંકર અને લુઇગી ડી મેયો નવેમ્બર 2020માં ડિજિટલ માધ્યમ દ્વારા રજૂ કરાયેલ એક્શન પ્લાન 2020-24ના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરશે અને સામાન્ય હિતના પ્રાદેશિક અને બહુ-સ્તરીય વિષયો પર ચર્ચા કરશે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">