AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં છવાયા વિદેશમંત્રી : રશિયન વિદેશ મંત્રી લવરોવે જયશંકરના કર્યા વખાણ, કહ્યું ‘જયશંકર સાચા દેશભક્ત’

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે (Sergey Lavrov) કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના છે. પરંતુ યુક્રેન યુદ્ધ (Russia Ukrraine War) બાદ ભારત પર રશિયા સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

વિદેશમાં છવાયા વિદેશમંત્રી : રશિયન વિદેશ મંત્રી લવરોવે જયશંકરના કર્યા વખાણ, કહ્યું 'જયશંકર સાચા દેશભક્ત'
Russian foreign minister lavrov praise s jaishankar
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 9:14 AM
Share

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે (Sergey Lavrov) વિદેશ મંત્રી એસ જયશંકરને(S Jaishankar)  દેશના સાચા દેશભક્ત ગણાવ્યા છે. લવરોવે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે મોસ્કોથી આયાત ઘટાડવાના વધતા દબાણ વચ્ચે ભારત પોતાની વિદેશ નીતિ નક્કી કરશે. વધુમાં સર્ગેઈ લવરોવે કહ્યું, ‘એસ જયશંકર એક અનુભવી રાજદ્વારી અને તેમના દેશના સાચા દેશભક્ત છે, કારણ કે જ્યારે તેમણે કહ્યું હતું કે ભારતને તેની સુરક્ષા અને વિકાસ માટે શું જોઈએ છે તેના આધારે આગળની રણનિતી નક્કી થયા છે, પરંતુ ઘણા દેશો આવુ કરી શકતા નથી.’

ભારત અને રશિયા વચ્ચે દાયકાઓ જૂના સંબંધો

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરએ અમેરિકામાં (America) રશિયા સાથેના સંબંધો (India Russia) વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે ભારત અને રશિયા વચ્ચે જુના સંબધ છે. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે રશિયા ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ અથવા વ્યૂહાત્મક ક્ષેત્રો માટે તેના કોઈપણ પશ્ચિમી સહયોગી પર ભરોસો ન કરી શકે. અમે એવા તમામ દેશો સાથે સહયોગ કરવા તૈયાર છીએ જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન કરવા માટે ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ કરતા નથી.

વધુમાં તેમણે કહ્યું આવા દેશોમાં ભારત પણ સામેલ છે,અમે દ્વિપક્ષીય રીતે સહયોગ કરીએ છીએ. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના છે. પરંતુ યુક્રેન યુદ્ધ બાદ ભારત પર રશિયા સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

રશિયાના વિદેશ મંત્રીએ ભારત-રશિયા સંબંધો પર શું કહ્યું ?

ભારત-રશિયા સંબંધો વિશે વાત કરતા સર્ગેઈ લવરોવે કહ્યું, ‘ભારત અમારો જૂનો મિત્ર છે. અમે ઘણા સમય પહેલા અમારા સંબંધોને ‘વ્યૂહાત્મક ભાગીદારી’ ગણાવ્યા હતા. ત્યારે લગભગ 20 વર્ષ પહેલા ભારતે કહ્યું હતું કે શા માટે આપણે આપણા સંબંધોને ‘પ્રીવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ ના કહીએ ? અને થોડા સમય પછી ભારતે કહ્યું કે આપણે આપણા સંબંધોને ‘સ્પેશિયલ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ કહેવા જોઈએ. તે કોઈપણ દ્વિપક્ષીય સંબંધોની વિશિષ્ટતા દર્શાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia Ukraine War: અવળચંડાઈ બાદ હવે પુતિન યુદ્ધ ખતમ કરવાની ફિરાકમાં, રશિયાએ યુક્રેનની સેનાને આપી છેલ્લી ચેતવણી

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">