AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO ના વડા એસ સોમનાથને આદિત્ય-L1 લોન્ચના દિવસે કેન્સર હોવાનું નિદાન થયું હતું; બીમારી અંગે આપ્યું મોટુ અપડેટ

ઈસરોના વડા એસ સોમનાથે પોતાની બીમારી અંગે જાહેર કરતા કહ્યું કે ચંદ્રયાન-3 મિશન દરમિયાન મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ હતી પરંતુ મને ખબર નહોતી કે મને કેન્સર છે. ત્યાર બાદ તપાસમાં ખબર પડી કે મને પેટનું કેન્સર છે. તેમણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં કેન્સરની સારવાર શરૂ કરી. કેન્સર થયું હોવાનું જાણીને પરિવારજનો પણ ખૂબ ચિંતિત બન્યા હતા. કેન્સરના ઈલાજ માટે કીમોથેરાપી ચાલુ રહી અને તે સ્વસ્થ થયા છે.

ISRO ના વડા એસ સોમનાથને આદિત્ય-L1 લોન્ચના દિવસે કેન્સર હોવાનું નિદાન થયું હતું; બીમારી અંગે આપ્યું મોટુ અપડેટ
ISRO chief S Somnath
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2024 | 4:29 PM
Share

ઈસરોના ટુંકા નામે ઓળખાતા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા એસ સોમનાથ કેન્સરથી પીડિત છે. આ માહિતી તેમણે પોતે આપી છે. એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં પોતે કેન્સર પીડિત હોવાનું જણાવ્યું હતું. પેટનું કેન્સર હોવાની વાતનો ખુલાસો પણ આ ઈન્ટરવ્યુમાં તેમણે કર્યો છે. એસ સોમનાથે કહ્યું કે મને આ વિશે તે જ દિવસે ખબર પડી જ્યારે આદિત્ય-એલ1 મિશન અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયો હતો, જ્યારે તેમને આ અંગેની જાણ થઈ.

રોગની ચાલુ સારવાર

મીડિયા રિપોર્ટ અનુસાર, એસ સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે, “ચંદ્રયાન-3 મિશન દરમિયાન મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી, પરંતુ મને ખબર ન હતી કે મને કેન્સર છે. તબીબી ટેસ્ટના અંતે ખબર પડી કે તેમને પેટનું કેન્સર છે. કેન્સર થયું હોવાની જાણ થયા બાદ તેમણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં કેન્સરની સારવાર શરૂ કરી દીધી હતી. મને કેન્સર થયું હોવાનુ જાણીને મારા પરિવારજનો પણ ખૂબ ચિંતિત બન્યા હતા. પેટના કેન્સરના ઈલાજ માટે કીમોથેરાપી ચાલુ રહી અને હાલમાં સ્વસ્થ થયો છું. જો કે કેન્સરની દવા ચાલુ હોવાનું તેમણે જણાવ્યું છે.”

ભારત મિશન ગગનયાન માટે તૈયાર

થોડા દિવસો પહેલા ગગનયાન મિશનમાં સામેલ ચાર અવકાશયાત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અવકાશયાત્રીઓ તરીકે ગ્રુપ કમાન્ડર પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા અવકાશમાં જશે. ચારેય ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઇલટ છે. આ ગગનયાન મિશન માટે ચારેય રશિયા ગયા છે અને ત્યાં તાલીમ લીધી છે. આ ચારેય હાલમાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટીમાં તાલીમ લઈ રહ્યા છે. મિશન ગગનયાન મિશનનું પરીક્ષણ વાહન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">