AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 સપ્ટેમ્બર પછી ATM માંથી 500 રૂપિયાની નોટ નહીં મળે ? જાણો RBIનું સત્તાવાર નિવેદન

500 રૂપિયાની નોટને લઈને ખાસ સમાચાર બહાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATMમાંથી 500 રૂપિયાની નોટોનું વિતરણ (Disburse) ન કરવા માટે કહેલું હોવાનું જણાવાયું છે.

30 સપ્ટેમ્બર પછી ATM માંથી 500 રૂપિયાની નોટ નહીં મળે ? જાણો RBIનું સત્તાવાર નિવેદન
| Updated on: Jul 15, 2025 | 7:11 PM
Share

સોશિયલ મીડિયા પર વારંવાર એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે, RBI 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. હવે એવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશભરની બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટોનું વિતરણ બંધ કરવા કહ્યું છે.

વોટ્સએપ પર ‘ખોટી’ માહિતી ફેલાઈ રહી છે?

એક સોશિયલ મીડિયા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ 30 સપ્ટેમ્બર 2025 સુધી દેશમાં આવેલી તમામ એટીએમમાંથી 500 રૂપિયાની નોટોનું વિતરણ (Disburse) ન કરે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા આ ખોટા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, RBIએ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધી એટીએમમાંથી 500 રૂપિયાની નોટો ન કાઢવા માટે જણાવ્યું છે. અત્રે એ પણ કહેવાયું છે કે, આગળથી એટીએમમાંથી ફક્ત 200 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જ નીકળશે. આથી હવે તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટો કાઢવાનું શરૂ કરી દો.

સરકારની સ્પષ્ટતા

આ દરમિયાન સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દેશની કેન્દ્રિય બેંક (RBI) દ્વારા બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી અને 500 રૂપિયાની નોટ હજુ પણ RBI દ્વારા સમર્થિત વૈધ કરન્સી (Legal Tender) તરીકે માન્ય રહેશે.

PIB ફેક્ટ ચેક પ્લેટફોર્મ દ્વારા X (ટ્વિટર) પર કરવામાં આવેલા એક પોસ્ટ અનુસાર RBI તરફથી આવો કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યો નથી એટલે કે 500 રૂપિયાની નોટ સંપૂર્ણપણે માન્ય છે અને ચલણમાં પણ રહેશે.

સરકાર સંબંધિત કોઈ પણ ભ્રામક ખબર વિશે ફરિયાદ ક્યાં કરવી?

તમે સરકારને લગતી કોઈ પણ ભ્રામક માહિતી જાણવા માટે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકને ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 8799711259 પર મોકલી શકે છે. વધુમાં factcheck@pib.gov.in પર ઈમેઈલ કરી શકે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">