AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુપ્તચર માહિતીઓ અંગે IB અધિકારીઓ સાથે અમિત શાહની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ બેઠકમાં આતંકવાદના (Terrorism) ખતરા, વૈશ્વિક આતંકવાદ, ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરરિઝમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સાઈબર ક્રાઈમ અને વિદેશી આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજર રાખવાની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે.

ગુપ્તચર માહિતીઓ અંગે IB અધિકારીઓ સાથે અમિત શાહની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
ગૃહમંત્રી અમિત શાહ આજે IB અધિકારીઓ સાથે બેઠક કરશે.Image Credit source: File Pic
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 12:03 PM
Share

ગૃહમંત્રી અમિત શાહ આજે દેશભરમાં હાજર ઈન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના અધિકારીઓ સાથે મોટી બેઠક યોજવાના છે. આ બેઠકમાં ગૃહમંત્રી દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ, આતંકવાદના ખતરા સાથે કામ કરવા અને કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ વચ્ચે સંકલન વધારવાના મુદ્દા પર ચર્ચા કરશે. આ બેઠક એટલી ગુપ્ત છે કે તે દિલ્હીના કોઈ ગુપ્ત ઠેકાણા પર યોજાશે. મુખ્ય અધિકારીઓ સિવાય કોઈને તેની જાણ થશે નહીં. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું છે કે IB અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ દેશની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે. આ દરમિયાન ઈન્ટેલિજન્સ ગેધરિંગ નેટવર્ક સહિત આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે જરૂરી પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં આતંકવાદના ખતરા, વૈશ્વિક આતંકવાદ, ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરરિઝમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સાઈબર ક્રાઈમ અને વિદેશી આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજર રાખવાની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે.

એજન્સીઓ વિશે પણ ચર્ચા થશે

આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ IB અધિકારીઓ સાથે એ વાત પર પણ ભાર મૂકશે કે એજન્સીઓના કામને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સુમેળ હોવો જોઈએ. જેથી તેની સાથે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી શકાય. મળતી માહિતી મુજબ, IB ચીફ તપન ડેકા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે.

ભારતે રશિયા સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો

આ પહેલા મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે મોસ્કોમાં તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ ચર્ચા પછી, તેમણે મંગળવારે કહ્યું કે વિશ્વએ અફઘાનિસ્તાનની સ્થિતિને ભૂલવી ન જોઈએ અને તે દેશમાંથી કાર્યરત આતંકવાદી જૂથોને લઈને ચિંતા રહે છે. લવરોવ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં, જયશંકરે આતંકવાદ અને તેના સીમાપાર સ્વરૂપ સહિત અસ્થિરતા પેદા કરતા અનેક પરિબળોની ગણતરી કરી અને કહ્યું કે આ ચિંતાનું મુખ્ય કારણ છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે લવરોવ સાથેની ચર્ચા દરમિયાન અફઘાનિસ્તાનનો મુદ્દો પણ સામે આવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના પડોશી દેશોએ તે દેશથી આતંકવાદનો કોઈ ખતરો ન હોય તેની ખાતરી કરવા માટે કામ કરવું જોઈએ.

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">