શું મોકડ્રીલ દરમિયાન સાયરન વાગતા જ છવાઈ જાય છે અંધારપટ, ક્યારે કરવામાં આવે છે ટોટલ બ્લેકઆઉટ? વાંચો
જમ્મુકાશ્મીરના પહલગામમાં આતંકીઓએ 22 એપ્રિલે કરેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારીઓ કરી લીધી છે. બુધવારે (7 May) દેશભરમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવામાં આવનાર છે. દેશભરના 244 જિલ્લામાં આ મોકડ્રીલ આયોજિત કરાઈ છે ત્યારે આજે આ આર્ટીકલમાં આપણે એ જાણશુ કે આ યુદ્ધની મોક ડ્રૂીલમાં શું કરવામાં આવે છે? યુદ્ધની સાયરન કેવા સંજોગોમાં વાગે છે. નાગરિકોએ ત્યારે શું તકેદારી રાખવાની હોય છે અને ક્યારે કરવામાં આવે છે ટોટલ બ્લેકઆઉટ?

જમ્મુકાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ ચરમ પર છે. દેશમાં પાકિસ્તાન સામે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો નિશ્ચય કરી લીધો છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન દેશમાં 7 મે એ રાષ્ટ્રવ્યાપી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવામાં આવનાર છે. આ મોક ડ્રીલ ક્યારે થશે અને આ દરમિયાન શું-શું થશે અને દેશમાં આ અગાઉ કયારે આ પ્રકારની મોક ડ્રીલ કરવામાં આવી છે તેના વિશે આજે વિસ્તારથી સમજીએ. યુદ્ધ અને કટોકટીની સ્થિતિમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવામાં આવે છે. આ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી દેતી સાયરન વગાડવામાં આવે છે. આ મોકડ્રીલ દરમિયાન ટોટલ બ્લેકઆઉટ પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવાનું હોય છે અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવા માટેની તાલીમ આપવામાં આવે છે. હવે એ સવાલ ચોક્કસ થાય કે આ પ્રકારની મોકડ્રીલ...