Vikrant Trial: ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ જહાજ વિક્રાંત દરિયાઈ પરીક્ષણ માટે રવાના, PM નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા
વિક્રાંત એરક્રાફ્ટ કેરિયરનું (Vikrant Aircraft) વજન 40,000 ટન છે અને તે દરિયાઈ પરીક્ષણમાં પણ સફળ નિવડે તેવી આશા છે. આ વિમાન વાહક જહાજને આવતા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
એરક્રાફ્ટ જહાજ વિક્રાંત પરીક્ષણ માટે દરિયામાં ઉતર્યું છે. ભારત અને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા દેશના પ્રથમ વિમાન વાહક જહાજ વિક્રાંતે દરિયાઈ ટ્રાયલ માટે તૈયાર છે. હાલ, અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જો વિક્રાંતનું પરીક્ષણ સફળ થશે તો નૌકાદળની (Navy) તાકાતમાં વધારો કરશે.
ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ જહાજ વિક્રાંત (Vikrant) દરિયાઈ પરીક્ષણ માટે રવાના થયું છે. તે દેશમાં બનેલ સૌથી મોટું અને સૌથી જટિલ યુદ્ધ જહાજ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય નૌસેનાએ આ પરિક્ષણ દિવસને દેશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.
આ સાથે જ ભારત અસાધારણ ક્ષમતા અને અત્યાધુનિક વિમાન વાહક (Aircraft) જહાજોનું ઉત્પાદન કરનારા વિશ્વના દેશોમાં સામેલ થયો છે. આપને જણાવવું રહ્યું કે, 1971 ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર જહાજ પરથી આ જહાજનું નામ વિક્રાંત (Vikrant) રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિક્રાતના દરિયાઈ પરિક્ષણ માટે નૌકાદળને શુભેચ્છા આપી હતી.
The Indigenous Aircraft Carrier ‘Vikrant’, designed by Indian Navy’s Design Team and built by @cslcochin, undertook its maiden sea sortie today. A wonderful example of @makeinindia. Congratulations to @indiannavy and @cslcochin on this historic milestone. pic.twitter.com/AjnafkxOaT
— Narendra Modi (@narendramodi) August 4, 2021
વિક્રાંત એરક્રાફ્ટ કેરિયરનું (Vikrant Aircraft) વજન 40,000 ટન છે અને વિક્રાંતનું દરિયાઈ પરીક્ષણ સફળ નિવડે તેવી આશા છે. આપને જણાવવું રહ્યું કે, આ એરક્રાફ્ટ જહાજને આવતા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે (Vivek Madhval) જણાવ્યું હતું કે, “આ ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે કારણ કે આઇએનએસ વિક્રાંતના 50 માં વર્ષમાં સમુદ્રમાં પ્રથમ વખત તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.”
The commencement of sea trials of Indigenous Aircraft Carrier (IAC(P71)) ‘Vikrant’.
The Indigenous construction of Aircraft Carrier is a shining example in the Nation’s quest for ‘AtmaNirbhar Bharat’ and ‘Make in India Initiative’. pic.twitter.com/bLHMAv4XPx
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) August 4, 2021
નૌસેનાના પ્રવક્તાએ કહ્યું હતુ કે, “ભારતમાં બનેલ આ સૌથી મોટું અને જટિલ યુદ્ધ જહાજ છે. ઉપરાંત જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના (Make in India) ભાગ રૂપે આ ઐતિહાસિક ક્ષણ છે”
આ પણ વાંચો: Covid 19 India : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારની મહત્વની જાહેરાત,જાણો સરકારે શું કરી જાહેરાત
આ પણ વાંચો: Supreme Court: પેગાસસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ