IRCTC News: રેલ્વેએ આજે 266 ટ્રેન કરી રદ, મુસાફરી પહેલા એકવાર ચેક કરી લો લીસ્ટ

રદ કરાયેલી ટ્રેનોની યાદીમાં ઓછામાં ઓછી 260 ટ્રેનો(Train)ના નામ સામેલ છે. રેલ્વેના જણાવ્યા અનુસાર જાળવણી અને સંચાલન સંબંધિત કારણોસર ટ્રેનો રદ કરવામાં આવી છે.

IRCTC News: રેલ્વેએ આજે 266 ટ્રેન કરી રદ, મુસાફરી પહેલા એકવાર ચેક કરી લો લીસ્ટ
Indian RailwaysImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 2:35 PM

જો તમે આજે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રેલ્વે(Indian Railways)એ બુધવારે જતી ઘણી ટ્રેનો રદ કરી છે. રદ કરાયેલી ટ્રેનોની યાદીમાં ઓછામાં ઓછી 260 ટ્રેનોના નામ સામેલ છે. રેલ્વેના જણાવ્યા અનુસાર જાળવણી અને સંચાલન સંબંધિત કારણોસર ટ્રેનો રદ કરવામાં આવી છે. આઈઆરસીટીસી (IRCTC)એ જણાવ્યું છે કે રદ કરાયેલી ટ્રેનોમાં 216 ટ્રેનો છે જે 13 જુલાઈએ રવાના થવાની હતી. આ સિવાય આવા 50 ગાડીઓ છે જે આંશિક રીતે રદ કરવામાં આવી છે. જો તમે પણ મુસાફરી કરી રહેલા લોકોમાં છો અને 13મી જુલાઈ એ મુસાફરીનો દિવસ છે, તો એકવાર રેલવેના કસ્ટમર કેર નંબર પર કોલ કરો અથવા તમારો મેસેજ ચેક કરો. જો તમારી 13 જુલાઈની ટ્રેન કેન્સલ થઈ છે, તો તેનો મેસેજ તમને પહેલેથી જ મોકલવામાં આવ્યો હશે.

આ પહેલા 10મી જુલાઈ, રવિવારના રોજ પણ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી. રેલ્વેએ 190 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી હતી જ્યારે 37 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. તે પહેલા 8 જુલાઈએ રેલવેએ 312 ટ્રેનો કેન્સલ કરી હતી અને 41 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે રદ થયેલી ટ્રેનોની યાદી કેવી રીતે તપાસી શકાય છે.

આ રીતે રદ કરાયેલી ટ્રેનોની યાદી તપાસો

  1. સૌ પ્રથમ https://enquiry.indianrail.gov.in/mntes/ પર જાઓ અને મુસાફરીની તારીખ તપાસો
  2. સ્ક્રીનની ટોચની પેનલમાં ‘એક્સેપ્શનલ ટ્રેન’ પસંદ કરો
  3. આજનું રાશિફળ તારીખ : 02-05-2024
    હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
    કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
    ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
    હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  4. અહીં ‘કેન્સલ્ડ ટ્રેન’ વિકલ્પ પર ક્લિક કરો
  5. હવે ‘ફુલી’ અથવા ‘પાર્શિયલી’ વિકલ્પ પસંદ કરો. આ સાથે, તમે સંપૂર્ણ રદ કરાયેલ અને આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોનું લીસ્ટ જોશો.

રદ કરાયેલી ટ્રેનોનું લીસ્ટ જોવા માટે, તમારે પહેલા સ્ટેશન કોડ તપાસવો આવશ્યક છે. આ તમારા કામને વધુ સરળ બનાવશે. તમારે બિનજરૂરી પરેશાનીનો સામનો કરવો નહીં પડે. સ્ટેશન કોડ ચેક કરવાની એક ખાસ રીત છે, જે નીચે જણાવવામાં આવી રહી છે.

  1. IRCTC ની સત્તાવાર વેબસાઇટ irctchhelp.in ની મુલાકાત લો
  2. સ્ટેશન કોડની સામે સ્ટેશનના નામ પર ક્લિક કરો
  3. તમને સ્ટેશન કોડ મળશે અને વધુ અપડેટ્સ માટે તેની વિગતો તમારી પાસે રાખી લો
  4. રેલ્વેના જણાવ્યા અનુસાર, બુધવારે (13 જુલાઈ) ના રોજ ઉપડનારી લગભગ 216 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 50 ટ્રેનોનું સમયપત્રક ફરીથી નક્કી કરવામાં આવ્યું છે.
  5. રેલ્વે અધિકારીઓએ ટ્રેન મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ આ રદ કરાયેલી ટ્રેનોના દોડવા અને ઉપડવાની વિગતો મેળવવા enquiry.indianrail.gov.in/mntes અથવા NTES એપની મુલાકાત લે.
  6. મુસાફરી પહેલા ટ્રેન લિસ્ટ ચેક કરવાથી તમને અંતિમ સમયની મુશ્કેલીમાંથી બચાવી શકાશે.

નોર્થ વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર નીચે દર્શાવેલ ટ્રેન સેવાઓને અસર થશે. એકવાર ટ્રેન નંબર અને સ્ટેશનનું નામ તપાસવાનું સુનિશ્ચિત કરો જેથી કરીને તમને મુસાફરી વિશે સંપૂર્ણ માહિતી મળી શકે.

રદ કરાયેલી ટ્રેન સેવાઓ (પ્રારંભિક સ્ટેશનથી)

  1. ટ્રેન નંબર 09749, સુરતગઢ-ભટિંડા રેલ સેવા 13 જુલાઈએ રદ રહેશે
  2. ટ્રેન નંબર 09750, ભટિંડા-સુરતગઢ ટ્રેન સેવા 13 જુલાઈએ રદ રહેશે
  3. ટ્રેન નંબર 04771, ભટિંડા-અનુપગઢ ટ્રેન સેવા 13 જુલાઈએ રદ રહેશે
  4. ટ્રેન નંબર 04772, અનુપગઢ-ભટિંડા રેલ સેવા 13 જુલાઈએ રદ રહેશે

રેગુલેટ રેલ સેવાઓ (પ્રારંભિક સ્ટેશનથી)

ટ્રેન નંબર 19226, જમ્મુ તાવી-જોધપુર રેલ સેવા જે 12મી જુલાઈના રોજ જમ્મુ તાવીથી નીકળી છે, તે ભટિંડા સ્ટેશન પર 20 મિનિટ માટે નિયંત્રિત રહેશે.

પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેની લુમડિંગ જં. ડિવિઝનના લામડિંગ-બદરપુર સેક્શન વચ્ચે માટી ધોવાણ અને પાણી ભરાવાને કારણે રેલ ટ્રાફિકને અસર થશે.

  1. ટ્રેન નંબર 14620, ફિરોઝપુર કેન્ટ-અગરતલા ટ્રેન સેવા 18મી જુલાઈએ રદ રહેશે
  2. ટ્રેન નંબર 14619, અગરતલા-ફિરોઝપુર કેન્ટ રેલ સેવા 21મી જુલાઈએ રદ રહેશે

રેકના અભાવે રેલ વ્યવહાર પ્રભાવિત

રેકની અછતને કારણે, 02 ટ્રેનો રદ કરવામાં આવશે અને 02 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે. આ બે ટ્રેનોની યાદી નીચે રહે છે. ટ્રેન નંબરની વિગતો પણ આપવામાં આવી રહી છે.

રદ કરાયેલી ટ્રેન સેવાઓ (પ્રારંભિક સ્ટેશનથી)

  1. ટ્રેન નંબર 09543, અસારવા-ડુંગરપુર રેલ સેવા 13 જુલાઈએ રદ રહેશે
  2. ટ્રેન નંબર 09544, ડુંગરપુર-અસારવા રેલ સેવા 13 જુલાઈએ રદ રહેશે

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન સેવાઓ

ટ્રેન નંબર 09543, અસારવા-ડુંગરપુર રેલ સેવા જે 12મી જુલાઈના રોજ અસારવાથી ઉપડી છે, તે હિંમતનગર સ્ટેશન સુધી ચાલશે. આ ટ્રેન સેવા હિંમતનગર-ડુંગરપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09544, ડુંગરપુર – અસારવા રેલ સેવા ડુંગરપુર – હિંમતનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સાથે, બુધવાર (13 જુલાઈ)ના રોજ ઉપડનારી લગભગ 216 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે 50 ટ્રેનોનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવ્યું છે. રેલવે ટ્રેક પર ચાલી રહેલા બાંધકામ અને કામગીરીની વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ ટ્રેન મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ આ રદ કરાયેલી ટ્રેનોના ચાલવા અને ઉપડવાની વિગતો મેળવવા enquiry.indianrail.gov.in/mntes અથવા NTES એપની મુલાકાત લે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">