ભારતની વધી તાકાત, સેનાને મળ્યુ ‘બાહુબલી’ C295, જાણો તેની ખાસિયતો

C295 Military Airlifter Aircraft: દેશમાં લાવવામાં આવનાર આ પ્રથમ એરક્રાફ્ટનું ઈન્ડક્શન હિંડન એરબેઝ પર થશે. બીજું C-295 એર લિફ્ટ પ્લેન મે 2024માં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેનથી આવા 56 એરક્રાફ્ટ લાવવાની યોજના હતી. આમાં 16 સંપૂર્ણ તૈયાર એરક્રાફ્ટ ભારત આવશે.

ભારતની વધી તાકાત, સેનાને મળ્યુ 'બાહુબલી' C295, જાણો તેની ખાસિયતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 9:14 AM

C295 Military Airlifter Aircraft: દેશને આજે તેનું પ્રથમ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન મળશે. તેનું ઉત્પાદન સ્પેનના સેવિલે પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે અને તેને ભારત લાવવા માટે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સ્પેન પહોંચી ગયા છે. તેને આગ્રા એરબેઝમાં તૈનાત કરવામાં આવશે. જો તમે C-295 ટેક્ટિકલ (C295 Aircraft) મિલિટરી એર લિફ્ટ પ્લેનની ખાસિયતો પર નજર નાખો તો તમને ખબર પડશે કે તે કોઈ શક્તિશાળી એરક્રાફ્ટથી ઓછું નથી.

દેશમાં લાવવામાં આવનાર આ પ્રથમ એરક્રાફ્ટનું ઈન્ડક્શન હિંડન એરબેઝ પર થશે. બીજું C-295 એર લિફ્ટ પ્લેન મે 2024માં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેનથી આવા 56 એરક્રાફ્ટ લાવવાની યોજના હતી. આમાં 16 સંપૂર્ણ તૈયાર એરક્રાફ્ટ ભારત આવશે. અન્ય 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે. ટાટા એડવાન્સ સિસ્ટમ કંપની 2024થી તેને તૈયાર કરવાનું કામ કરશે. જાણો કેટલુ ખાસ છે બાહુબલી.

C-295 ટેક્ટિકલ એરક્રાફ્ટની વિશેષતાઓને સમજો

  1. શોર્ટ ટેકઓફ અને લેન્ડિંગમાં એક્સપર્ટઃ તેમાં ઘણી વિશેષતાઓ છે જે તેને અન્ય ઓપરેશનલ એરક્રાફ્ટથી અલગ બનાવે છે. ઉદાહરણ તરીકે કટોકટીના સમયમાં તેની મદદથી શોર્ટ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકાય છે. સ્પેનિશ કંપનીનું કહેવું છે કે તેની પાસે માત્ર 320 મીટરના અંતરથી ટેક-ઓફ કરવાની ક્ષમતા છે. આ સિવાય લેન્ડિંગ માટે માત્ર 670 મીટરનું અંતર જ પૂરતું છે.
  2. પહાડી વિસ્તારોમાં ઈમરજન્સી ઓપરેશનમાં મદદરૂપઃ ઓછી જગ્યામાં લેન્ડિંગ અને ટેક-ઓફને કારણે દેશના પહાડી વિસ્તારોમાં ઓપરેશન માટે તે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. તે લદ્દાખ, કાશ્મીર, સિક્કિમ અને આસામ જેવા પહાડી વિસ્તારો માટે યોગ્ય સાબિત થશે. તે ઈમરજન્સી દરમિયાન બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
  3. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  4. 11 કલાક સુધી સતત ઉડવાની ક્ષમતા: આ એરક્રાફ્ટ સતત 11 કલાક સુધી ઉડવા માટે સક્ષમ છે. તેની લંબાઈ 24.45 મીટર અને પહોળાઈ 8.65 મીટર છે. જ્યારે પાંખોનો ફેલાવો 25.81 મીટર છે. આ સિવાય તેને 12.69 મીટર લાંબી પ્રેશરાઈઝ્ડ કેબિન આપવામાં આવી છે અને તે 30 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
  5. 7,050 KGના પેલોડને ઉપાડવામાં સક્ષમ: C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન 7,050 KGના પેલોડને ઉપાડવામાં સક્ષમ છે. તે દેશ માટે કેટલું ઉપયોગી થશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે એક સમયે 71 સૈનિકો, 44 પેરાટ્રૂપર્સ, 24 સ્ટ્રેચર અથવા 5 કાર્ગો પેલેટ્સ સાથે ઉડી શકે છે.
  6. રેમ્પ ડોર લોડિંગ-અનલોડિંગને સરળ બનાવે છે: એરક્રાફ્ટના પાછળના ભાગમાં રેમ્પ ડોર છે, જે કટોકટીની સ્થિતિમાં કાર્ગોનું લોડિંગ અને અનલોડિંગ સરળ બનાવે છે. આ સિવાય તેમાં ટચ સ્ક્રીન સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય તેમાં 2 Pratt & Whitney PW127 Turbotroup એન્જિન લગાવવામાં આવ્યા છે.

21 હજાર કરોડનો સોદો

પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આગરા એરબેઝમાં તૈનાત કરવામાં આવશે. જ્યાં તેના પાઇલોટ્સ માટેનું ટ્રેનિંગ સેન્ટર પણ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

Tata Advanced Systems Limited 2024ના મધ્ય સુધીમાં C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં શરૂ કરશે. હાલમાં તેની અંતિમ એસેમ્બલી લાઈનનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ સ્વદેશી સી-295 એરક્રાફ્ટ 2026માં તૈયાર થઈ જશે. એરબસ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14,000થી વધુ સ્વદેશી ભાગો તૈયાર કરવામાં આવશે અને અંતિમ એસેમ્બલિંગ માટે વડોદરા મોકલવામાં આવશે. કંપની 2031 સુધીમાં તમામ 40 એરક્રાફ્ટ એરફોર્સને સોંપશે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">