INDIAN ARMY : નવા વર્ષ પર ભારતીય સેનાએ ફરી પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો, મિઠાઈ આપી શાંતિ જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી

નવા વર્ષના અવસર પર ભારતીય સેનાએ ફરી એકવાર નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. જેનો હેતુ પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરવાનો છે.

INDIAN ARMY : નવા વર્ષ પર ભારતીય સેનાએ ફરી પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો, મિઠાઈ આપી શાંતિ જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી
INDIAN ARMY EXTENDS A GESTURE OF FRIENDSHIP TO PAKISTAN
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 2:10 PM

INDIAN ARMY : નવું વર્ષ શરૂ થઈ ગયું છે, સાથે જ નવા વર્ષના આ અવસર પર ભારતીય સેના (Indian Army)એ ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. આ પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાએ પાકિસ્તાન સેના સાથે નિયંત્રણ રેખા (Line of Control) પર શાંતિ જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

એલઓસી પર પાકિસ્તાની સેનાને મીઠાઈઓ આપી

નવા વર્ષનું ઉષ્માભેર સ્વાગત કરતા, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પર આ પ્રસંગે પાકિસ્તાની સેનાને મીઠાઈઓ આપી હતી. ભારતીય સેના (INDIAN ARMY) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેનાએ ચીલેહાણા-તિથવાલ ક્રોસિંગ પોઈન્ટ (Chilehana Tithwal Crossing Point) પર પાકિસ્તાની સેનાને નવા વર્ષની મીઠાઈઓ આપી છે. આ દરમિયાન, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવાની તૈયારી દર્શાવતા પાકિસ્તાનને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેના આ ક્ષેત્રમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે વર્ષોથી આવા સદ્ભાવના પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, આવા સદ્ભાવના પ્રયાસોનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને મધુર અને મજબૂત બનાવવાનો છે. જેનાથી પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરી શકાય.

ગયા વર્ષે ફેબ્રુઆરીથી નિયંત્રણ રેખા (એલઓસી) પર શાંતિ

ભારતીય સેનાના આ પ્રયાસોને કારણે, નિયંત્રણ રેખા (એલઓસી) પર Ceasefire ચાલુ છે અને ગયા વર્ષે ફેબ્રુઆરીથી, નિયંત્રણ રેખા (એલઓસી) પર શાંતિ છે. જે અંતર્ગત સરહદી ગામોના લોકોને રાહત મળી છે. તો ત્યાં લોકોએ નિયંત્રણ રેખા પરના ગામડાઓમાં શાંતિ જાળવવાના ભારતીય સેનાના આ પ્રયાસોની પ્રશંસા કરી છે.

ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે નવા વર્ષ પર પાકિસ્તાની સેનાને મીઠાઈ આપવાનો ધ્યેય જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવાનો અને વિસ્તારને વિકાસની દિશામાં આગળ વધારવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતીય સેનાના આ સકારાત્મક પ્રયાસો લાંબા સમય સુધી નિયંત્રણ રેખા (એલઓસી) પર શાંતિ જાળવી રાખશે અને બંને સેનાઓ વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિને આગળ વધારવામાં મદદ કરશે.

સરહદી ગામોને જાનમાલનું નુકસાન

નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ લાગુ કરવામાં આવતો નથી, ત્યારે પાકિસ્તાન સેના તરફથી ફાયરિંગ સહિત રોકેટ છોડવામાં આવે છે, જે સરહદી ગામોમાં પડે છે. ઘણી વખત એવું બન્યું છે કે, પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા હુમલાને કારણે સેનાની સાથે સરહદી ગામોને પણ જાનમાલનું નુકસાન સહન કરવું પડ્યું છે.

આ પણ વાંચો : Uttarakhand Election:કોંગ્રેસે 45 ઉમેદવારના નામ નક્કી કર્યા, ચૂંટણી લડવા માટે રાવતનું પત્તુ અકબંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">