Uttarakhand Election:કોંગ્રેસે 45 ઉમેદવારના નામ નક્કી કર્યા, ચૂંટણી લડવા માટે રાવતનું પત્તુ અકબંધ

દિલ્હીમાં, સ્ક્રીનીંગ કમિટીએ રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિધાનસભા બેઠક માટેના ઉમેદવારોના નામોની ચર્ચા કરી અને બે ડઝન બેઠકો માટે ત્રણથી ચાર દાવેદારોની પેનલ તૈયાર કરી.

Uttarakhand Election:કોંગ્રેસે 45 ઉમેદવારના નામ નક્કી કર્યા, ચૂંટણી લડવા માટે રાવતનું પત્તુ અકબંધ
Congress leader Harish Rawat (file photo).
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:52 AM

Uttarakhand Election: ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Uttarakhand assembly election)માટે કોંગ્રેસ (Congress) ટૂંક સમયમાં રાજ્યની 70 વિધાનસભા બેઠકોમાંથી 45 બેઠકોમાટે ટિકિટ જાહેર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ 15 જાન્યુઆરી સુધી આ સીટો માટે ઉમેદવારો (Candidates)ના નામની જાહેરાત કરી શકે છે.

કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિ (Congress Election Campaign Committee)ના અધ્યક્ષ હરીશ રાવતે જણાવ્યું કે, આ ટિકિટો પર સહમતિ થઈ ગઈ છે. જો કે, હરીશ રાવત ક્યાંથી ચૂંટણી (Election) લડશે? પાર્ટી દ્વારા હજુ સુધી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હરીશ રાવતે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉમેદવારોની પસંદગીનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ પર

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મળતી માહિતી મુજબ, ટિકિટ વિતરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને રાજ્ય સ્ક્રિનિંગ કમિટીની બે દિવસીય બેઠકમાં 70 વિધાનસભા બેઠકો માટે ટિકિટ માટે મળેલી અરજીઓમાં સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્યની ચૂંટણી સમિતિએ ઉમેદવારોની પેનલ તૈયાર કરવાની કામગીરી સ્ક્રીનિંગ કમિટીને સોંપી છે અને ઉમેદવારોની પસંદગીનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ પર છોડી દીધો છે. કોંગ્રેસને રાજ્યની 70 વિધાનસભાની ટિકિટ માટે અત્યાર સુધીમાં 478 અરજીઓ મળી છે અને અનુસૂચિત જાતિ કેટેગરીમાંથી 92, અનુસૂચિત જનજાતિમાંથી પાંચ અરજીઓ મળી છે. જ્યારે 78 મહિલાઓમાંથી અનુસૂચિત જાતિની 15 મહિલાઓએ અરજી કરી છે.

નવ ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ

રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરીમાં, દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીએ વિધાનસભા બેઠક માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી અને બેઠકો માટે ત્રણથી ચાર દાવેદારોની પેનલ તૈયાર કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ છે અને તેની સાથે જ ગત ચૂંટણીમાં બહુ ઓછા મતથી હારી ગયેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. એવી ચર્ચા છે કે, આ મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ રાજ્યની તમામ 70 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી શકે છે.

રાવતનું પત્તું અકબંધ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે તેમના ચૂંટણી લડવા વિશે કંઈ ખુલાસો કર્યો નથી. તેમણે કહ્યું કે, 3 જાન્યુઆરીએ સ્ક્રીનિંગ કમિટીની બેઠક દિલ્હીમાં અને 9 જાન્યુઆરીએ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. પોતાના ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું કે હજુ કંઈ નક્કી નથી થયું.

આ પણ વાંચો : Colorado Fire: અમેરિકાના કોલોરાડોમાં 1000 ઘર બળીને ખાખ, ગવર્નરે કહ્યું, આગ આંખના પલકારામાં ફેલાઈ ગઈ

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">