AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા

ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 151 કિમી ઉત્તર-પશ્ચિમમા હતુ. જો કે અત્યાર સુધીમાં ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાનના અહેવાલ મળી રહ્યા નથી.

Earthquake: લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા
Earthquake in ladakh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 3:25 PM
Share

Earthquake: લદ્દાખમાં (Ladakh) મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર લદ્દાખના કારગીલ નજીક સવારે 8 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 151 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતુ. જો કે રાહતની વાત એ છે કે,અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ મળી રહ્યા નથી.

ભુકંપને કારણે હાલ લોકોમાં ભયનો માહોલ

ભૂકંપની દેખરેખ માટેની સરકારની નોડલ એજન્સીએ જણાવ્યુ હતુ કે ભૂકંપની ઘટના સવારે 8.35 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ જોવા મળી હતી. ભુકંપને કારણે હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યા પર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભૂકંપને સિસ્મોગ્રાફ વડે માપવામાં આવે છે.

7 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ કરે છે ગંભીર નુકસાન

ધરતીકંપની ક્ષણની તીવ્રતા પરંપરાગત રીતે માપવામાં આવે છે. જ્યારે ભૂકંપ 3 રિક્ટરની તીવ્રતા સાથે આવે છે, ત્યારે તેને સામાન્ય માનવામાં આવે છે. જ્યારે 7 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ ગંભીર નુકસાન કરે છે. ભૂકંપ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કરતું, પરંતુ ઈમારતો અને રસ્તાઓ વગેરેને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપથી રક્ષણ માટે એવું ઘર બનાવવું જરૂરી છે કે જેને ભૂકંપથી નુકસાન ન થાય. આ સિવાય ડિઝાસ્ટર કિટ સાથે રાખો, જેમાં રેડિયો, મોબાઈલ, જરૂરી કાગળો, ટોર્ચ, માચીસ, ચપ્પલ, મીણબત્તી, થોડા પૈસા અને જરૂરી દવાઓનો સમાવેશ થાયછે. ભૂકંપ આવે તો તરત જ વીજળી અને ગેસ બંધ કરો. આટલું જ નહીં લિફ્ટનો ઉપયોગ પણ બિલકુલ ન કરો. જ્યારે પણ આંચકા અનુભવાય તરત જ ખુલ્લા વિસ્તારમાં દોડી જાઓ અને ઝાડ અને પાવર લાઇનથી દૂર રહો.

ભૂકંપ શા માટે થાય છે ?

પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીનની નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટ્સ એકબીજા સાથે જોડાયેલી છે,પરંતુ કેટલીકવાર આ પ્લેટ્સ સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ વાઇબ્રેટ થાય છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ સામે કેન્દ્ર સરકારની કાર્યવાહી, SFJના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાયા

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">