India Vaccination: એક દિવસમાં 69 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન, કુલ આંકડો 66 કરોડને પાર

કર્ણાટકમાં કોરોનાની રસી વિશે હજુ પણ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં અફવાઓ ફેલાઈ રહી છે અને જાગૃતિના અભાવે લોકો રસી લેવામાં ડરે ​​છે.

India Vaccination: એક દિવસમાં 69 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન, કુલ આંકડો 66 કરોડને પાર
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:04 AM

India Vaccination: દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 66 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, બુધવારે 69 લાખથી વધુ લોકોને એટલે કે કોરોના રસીના 69,42,335 ડોઝ આપવામાં આવ્યા હતા.

એકંદરે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વયજૂથના 25,89,65,198 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી 2,97,99,597 ને બીજો ડોઝ મળ્યો છે.

અગાઉ મંગળવારે રેકોર્ડ બ્રેકિંગ રસીકરણ કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 1.09 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની દરેક માટે રસી, મફત રસી અભિયાનએ તેના 1.09 કરોડથી વધુ ડોઝના અગાઉના રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દેશમાં અત્યાર સુધીમાં વધુ રસીઓ આપવામાં આવી છે અને આ સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -19 રસીકરણની ગતિને વેગ આપવા અને તેનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રસી નહીં તો રાશન નહીં કર્ણાટકમાં કોરોનાની રસી વિશે હજુ પણ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં અફવાઓ ફેલાઈ રહી છે અને જાગૃતિના અભાવે લોકો રસી મેળવવામાં ડરે ​​છે. આવી સ્થિતિમાં કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ડેપ્યુટી કમિશનર એમ આર રવિએ રસીકરણને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. તેમણે કહ્યું કે જેમને કોરોના વેક્સિન નથી લીધી તેને રાશન આપવામાં નહીં આવે.

ચામરાજનગર જિલ્લાના ડેપ્યુટી કમિશનર એમ.આર. રવિએ “રસી નહીં તો રાશન નહીં” ના સૂત્ર સાથે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં રેશન સુવિધા મેળવવા માટે, લગભગ 2.9 લાખ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રસી લેવાની ફરજિયાત જરૂર પડશે.

આ પણ વાંચો: Gujarat : આજે કયાં પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગની આગાહી શું છે ? કયા ડેમ થયા ઓવરફલો ? વાંચો આ અહેવાલ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 02 સપ્ટેમ્બર: ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડું ટેન્શન રહેશે, જીવન સાથીનો મળશે સાથ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">