AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું- ભારતના રસ્તા અમેરિકા જેવા હશે, દિલ્હીથી મુંબઈની મુસાફરી 12 કલાકમાં પૂર્ણ થશે

નીતિન ગડકરીએ કહ્યું કે આત્મનિર્ભર, સુખી અને સમૃદ્ધ ભારત બનાવવાનો મોદી સરકારનો સંકલ્પ છે અને અમે તેને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું- ભારતના રસ્તા અમેરિકા જેવા હશે, દિલ્હીથી મુંબઈની મુસાફરી 12 કલાકમાં પૂર્ણ થશે
Nitin Gadkari - Lok Sabha
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:42 PM
Share

કેન્દ્રીય પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) મંગળવારે લોકસભામાં (Lok Sabha) કહ્યું કે ડિસેમ્બર 2024 સુધીમાં ભારતના રસ્તા અમેરિકા જેવા બની જશે. તેમણે કહ્યું કે ભારતને સમૃદ્ધ બનાવવા માટે હું સુનિશ્ચિત કરું છું કે ડિસેમ્બર 2024 પહેલા ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા જેવું હશે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે સરકાર અન્ય ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે બે કલાકમાં દિલ્હીથી જયપુર, હરિદ્વાર અને દેહરાદૂન પહોંચશે. ગડકરીએ કહ્યું કે આ સિવાય દિલ્હીથી અમૃતસર 4 કલાકમાં, ચેન્નાઈથી બેંગ્લોર બે કલાકમાં અને દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચવાના લક્ષ્યાંક સાથેના પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. તેમણે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં અમારો પ્રયાસ છે કે તે પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવે, જે 20 કલાકમાં શ્રીનગરથી મુંબઈ પહોંચી શકે.

2024 સુધીમાં ભારતના રસ્તા અમેરિકા જેવા થઈ જશે

તેમણે કહ્યું કે આપણા રસ્તાઓ દેશની સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ દેશની સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે. ગડકરીએ કહ્યું કે આત્મનિર્ભર, સુખી અને સમૃદ્ધ ભારત બનાવવાનો મોદી સરકારનો સંકલ્પ છે અને અમે તેને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 2024 સુધીમાં, ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુએસની સમકક્ષ હશે, જે વિકાસ અને આર્થિક વૃદ્ધિ તરફ દોરી જશે અને પ્રવાસનને વેગ આપશે.

દરેક વાહનમાં છ એરબેગ્સ હોવી ફરજિયાત

ગડકરીએ કહ્યું કે અમને પૈસાની જરૂર છે પરંતુ લોકોને પરેશાન કરી શકતા નથી. તેમણે કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એ ફરજિયાત બનાવ્યું છે કે 8 મુસાફરો સુધીની દરેક કારમાં 6 એરબેગ હોવી જોઈએ. દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોના મોતનો ઉલ્લેખ કરતાં માર્ગ વાહનવ્યવહાર મંત્રીએ કહ્યું હતું કે લોકો મરતા રહે છે અને અમે જોતા રહીએ છીએ, એવું ન થઈ શકે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે સાંસદોના સૂચનોને પગલે સ્થાનિક લોકોના વિસ્તારમાં ટોલ પાસ કરવા માટે આધાર કાર્ડના આધારે પાસ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Jammu Kashmir: મહેબૂબા મુફ્તીએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને લઈ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- તે ઘણા પાકિસ્તાન બનાવવા માંગે છે

આ પણ વાંચો : પંજાબના નવા સીએમ ભગવંત માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, 24 માર્ચના રોજ કરશે મુલાકાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">