AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ceasefire : યુદ્ધ વિરામ બાદ સેનાએ કર્યો પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ, એક બાદ એક ગણાવ્યા જુઠ્ઠાણા, જુઓ Video

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ રક્ષા મંત્રાલયની પ્રેસ યોજાઇ હતી. જેમાં બ્રીફિંગમાં, કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતીય સેના ભારતની સાર્વભૌમત્વની રક્ષા અને રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. પાકિસ્તાને S-400 અંગે ખોટો દાવો કર્યો હતો.

Ceasefire : યુદ્ધ વિરામ બાદ સેનાએ કર્યો પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ, એક બાદ એક ગણાવ્યા જુઠ્ઠાણા, જુઓ Video
Follow Us:
| Updated on: May 10, 2025 | 7:31 PM

ઓપરેશન સિંદૂર અંગે ત્રણેય સેનાઓની બ્રીફિંગ શરૂ થઈ ગઈ છે. બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે બ્રહ્મોસ મિસાઇલ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. પાકિસ્તાન ખોટો પ્રચાર ફેલાવી રહ્યું છે.

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે તેના JF 17 વડે અમારા S400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે.

બીજું, તેણે એક ખોટી માહિતી પણ ચલાવી હતી કે સિરસા, જમ્મુ, પઠાણકોટ, ભટિંડા, નલિયા અને ભૂજમાં આપણા એરબેઝને નુકસાન થયું છે, અને આ માહિતી પણ સંપૂર્ણપણે ખોટી છે.

સારા તેંડુલકરે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !
વિરાટ અને રોહિતનું ગજબ કનેક્શન, એકસમાન રેકોર્ડ અને નિર્ણયનો વિચિત્ર સંયોગ
Jioનો ડેટા વગરનો પ્લાન, 1 વર્ષ સુધી સીમકાર્ડ રહેશે એક્ટિવ
Uric Acid વધે ત્યારે ખાલી પેટ શું ખાવું?
જુડવા બાળકોની માતા 50 વર્ષની અભિનેત્રી, જુઓ પરિવાર
શું મીઠા દહીંના સેવનથી સુગર લેવલ વધે છે?

ત્રીજું, પાકિસ્તાનના ખોટી માહિતી અભિયાન મુજબ, ચંદીગઢ અને વ્યાસમાં અમારા દારૂગોળાના ડેપોને નુકસાન થયું હતું, જે પણ સંપૂર્ણપણે ખોટું છે.

પાકિસ્તાને ખોટા આરોપ લગાવ્યા કે ભારતીય સેનાએ મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને આપણી સેના ભારતના બંધારણીય મૂલ્યોનું ખૂબ જ સુંદર પ્રતિબિંબ છે.

પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવી રહેલા ખોટા દાવાઓનો ભારતે કડક જવાબ આપ્યો છે. બ્રીફિંગમાં, ભારતીય સંરક્ષણ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે દેશની સેના કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વાયુસેના અધિકારી વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાન દ્વારા ઘણા ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.

ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને અમે બધા ધર્મોનો સમાન રીતે આદર કરીએ છીએ. જો કોઈ પણ પ્રકારની ઘટના બને છે, તો આપણી સેના તેનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પહેલાથી જ ભારે નુકસાન સહન કરી ચૂક્યું છે અને આગળ કોઈ પણ દુ:સાહસ સહન કરવામાં આવશે નહીં.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">