AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીને OICમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જ ભારતે કાઢી ઝાટકણી, કહ્યું અમારા આંતરિક મામલામાં દખલ કરવાનો તમને અધિકાર નથી

ઓઆઈસીની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી(Chinese Foreign Minister Wang Yi)એ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારી કાઢે છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે.

ચીને OICમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જ ભારતે કાઢી ઝાટકણી, કહ્યું અમારા આંતરિક મામલામાં દખલ કરવાનો તમને અધિકાર નથી
Chinese Foreign Minister Wang Yi.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 7:01 AM
Share

Kashmir Issue in OIC: પાકિસ્તાન(Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ(Islamabad)માં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં ઈમરાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. કાશ્મીર(Kashmir) મુદ્દે પાકિસ્તાનને ચીનનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે હવે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભારત વતી કહેવામાં આવ્યું છે કે ઓઆઈસીની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી(Chinese Foreign Minister Wang Yi)એ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારી કાઢે છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે.

જણાવી દઈએ કે ઈમરાન ખાને મુસ્લિમ દેશોની 57 સભ્યોની સંસ્થા OICની કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સ (CFM)ના 48મા સત્રના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. ઈમરાને કહ્યું, ‘અમે પેલેસ્ટાઈન અને કાશ્મીરના લોકો સમક્ષ નિષ્ફળ ગયા છીએ. મને એ કહેતા દુઃખ થાય છે કે અમે કોઈ અસર કરી શક્યા નથી. તેઓ અમને ગંભીરતાથી લેતા નથી, અમે વિભાજિત છીએ અને તે શક્તિઓ તે જાણે છે. આ દિવસોમાં ઈમરાન ખાન પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવતા જોવા મળે છે.પરંતુ આ દરમિયાન તેઓ આ રાજકીય ઉથલપાથલથી બચવા માટે OICની બેઠકમાં પહોંચીને પેલેસ્ટાઈન અને કાશ્મીરના મુદ્દા પર મુસ્લિમ દેશોને સાથે આવવાની વાત કરી રહ્યા છે.

ચીનના સ્ટેટ કાઉન્સેલર અને વિદેશ મંત્રી વાંગ યી તેમના પાકિસ્તાની સમકક્ષ કુરેશીના આમંત્રણ પર OICની બેઠકમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં માનવાધિકારના ઉલ્લંઘન છતાં ઇમરાન ચીનને સમર્થન આપે છે. વર્ષોથી, ચીની સત્તાવાળાઓએ ઉઇગુર અને અન્ય તુર્કિક લઘુમતીઓની બળજબરીથી ધરપકડ કરી છે અને તેમને અટકાયત શિબિરોમાં મૂક્યા છે. આ શિબિરોમાં તેઓને ત્રાસ આપવામાં આવે છે. અહીં જેલમાં બંધ લોકોનું શારીરિક શોષણ પણ થાય છે. અમેરિકા અને ઘણા પશ્ચિમી દેશો કહે છે કે ચીન અહીં નરસંહાર કરી રહ્યું છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે “શીત યુદ્ધ” અને હરીફ જૂથોની રાજનીતિને કારણે વિશ્વ “ખોટી” દિશામાં જઈ રહ્યું છે. તેમણે સૂચન કર્યું કે મુસ્લિમ દેશો અને ચીને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ભાગીદારી કરવી જોઈએ.

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">