AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીને OICમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જ ભારતે કાઢી ઝાટકણી, કહ્યું અમારા આંતરિક મામલામાં દખલ કરવાનો તમને અધિકાર નથી

ઓઆઈસીની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી(Chinese Foreign Minister Wang Yi)એ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારી કાઢે છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે.

ચીને OICમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જ ભારતે કાઢી ઝાટકણી, કહ્યું અમારા આંતરિક મામલામાં દખલ કરવાનો તમને અધિકાર નથી
Chinese Foreign Minister Wang Yi.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 7:01 AM
Share

Kashmir Issue in OIC: પાકિસ્તાન(Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ(Islamabad)માં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં ઈમરાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. કાશ્મીર(Kashmir) મુદ્દે પાકિસ્તાનને ચીનનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે હવે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભારત વતી કહેવામાં આવ્યું છે કે ઓઆઈસીની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી(Chinese Foreign Minister Wang Yi)એ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારી કાઢે છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે.

જણાવી દઈએ કે ઈમરાન ખાને મુસ્લિમ દેશોની 57 સભ્યોની સંસ્થા OICની કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સ (CFM)ના 48મા સત્રના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. ઈમરાને કહ્યું, ‘અમે પેલેસ્ટાઈન અને કાશ્મીરના લોકો સમક્ષ નિષ્ફળ ગયા છીએ. મને એ કહેતા દુઃખ થાય છે કે અમે કોઈ અસર કરી શક્યા નથી. તેઓ અમને ગંભીરતાથી લેતા નથી, અમે વિભાજિત છીએ અને તે શક્તિઓ તે જાણે છે. આ દિવસોમાં ઈમરાન ખાન પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવતા જોવા મળે છે.પરંતુ આ દરમિયાન તેઓ આ રાજકીય ઉથલપાથલથી બચવા માટે OICની બેઠકમાં પહોંચીને પેલેસ્ટાઈન અને કાશ્મીરના મુદ્દા પર મુસ્લિમ દેશોને સાથે આવવાની વાત કરી રહ્યા છે.

ચીનના સ્ટેટ કાઉન્સેલર અને વિદેશ મંત્રી વાંગ યી તેમના પાકિસ્તાની સમકક્ષ કુરેશીના આમંત્રણ પર OICની બેઠકમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં માનવાધિકારના ઉલ્લંઘન છતાં ઇમરાન ચીનને સમર્થન આપે છે. વર્ષોથી, ચીની સત્તાવાળાઓએ ઉઇગુર અને અન્ય તુર્કિક લઘુમતીઓની બળજબરીથી ધરપકડ કરી છે અને તેમને અટકાયત શિબિરોમાં મૂક્યા છે. આ શિબિરોમાં તેઓને ત્રાસ આપવામાં આવે છે. અહીં જેલમાં બંધ લોકોનું શારીરિક શોષણ પણ થાય છે. અમેરિકા અને ઘણા પશ્ચિમી દેશો કહે છે કે ચીન અહીં નરસંહાર કરી રહ્યું છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે “શીત યુદ્ધ” અને હરીફ જૂથોની રાજનીતિને કારણે વિશ્વ “ખોટી” દિશામાં જઈ રહ્યું છે. તેમણે સૂચન કર્યું કે મુસ્લિમ દેશો અને ચીને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ભાગીદારી કરવી જોઈએ.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">