AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન ખાને OICમાં કાશ્મીરનો આલાપ્યો રાગ, કહ્યુ અમારું કોઈ સાંભળતુ નથી

ઈમરાન ખાને કહ્યું કે અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે.

ઈમરાન ખાને OICમાં કાશ્મીરનો આલાપ્યો રાગ, કહ્યુ અમારું કોઈ સાંભળતુ નથી
Imran Khan, Prime Minister of Pakistan (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:09 PM
Share

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ફરી એકવાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન કાશ્મીરનો (Kashmir) રાગ આલાપ્યો છે. ઈમરાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ દરમિયાન ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર પર ઈમરાનખાનની બોલતી બંધ થઈ ગઈ હતી. જો કે હાલ પાકિસ્તાનમાં રાજકીય સંકટમાં ઘેરાયેલા ઈમરાન ખાને પોતાની હતાશા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠકમાં કાઢતા કહ્યુ કે, કાશ્મીર મુદ્દે અમારી વાત કોઈ સાંભળતુ નથી.

સાઉદી અરેબિયાએ પણ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની (OIC) બેઠકમાં કાશ્મીરને લઈને નિવેદન આપ્યું હતું. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને કહ્યું કે તેમનો દેશ કાશ્મીરના લોકોની સાથે છે. તેમણે કહ્યું કે અમે કાશ્મીર વિવાદના ન્યાયપૂર્ણ ઉકેલ સુધી પહોંચવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસને સમર્થન આપીએ છીએ.

ઈમરાને કહ્યું, કોઈ અમારુ સાંભળતું નથી

ઈમરાન ખાને કહ્યું છે કે અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ તેમના અધિકારોના સમર્થનમાં છે. આ સંસ્થાઓ લોકમત માંગે છે જેથી ત્યાંના લોકો પોતાનું ભવિષ્ય જાતે પસંદ કરી શકે, પરંતુ આ અધિકારો હજુ સુધી તેમને આપવામાં આવ્યા નથી.

‘મૂળભૂત મુદ્દાઓ પર સાથે આવવાની જરૂર’

ઈમરાન ખાને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં વધુમાં કહ્યું છે કે અધિકાર આપવાને બદલે તેમના અધિકારો છીનવાઈ રહ્યા છે. ભારતે 5 ઓગસ્ટ 2019 ના રોજ ગેરકાયદેસર રીતે કાશ્મીરીઓના વિશેષ અધિકારોને નાબૂદ કર્યા. પરંતુ આ મુદ્દે કંઈ થયું નહીં કારણ કે તેઓ કોઈ દબાણ અનુભવતા ન હતા. ભારતને લાગે છે કે તેઓ કોઈપણ ઠરાવ પસાર કરીને આગળ વધી શકે છે.

આપણામાં અંદોરઅંદર જ વિખવાદ : ઈમરાન ખાન

ઈમરાન ખાને પેલેસ્ટાઈન અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે અમે આ મુદ્દાઓ પર નિષ્ફળ રહ્યા છીએ. મને એ કહેતા દુ:ખ થાય છે કે અમે તેમના માટે કંઈ કરી શક્યા નથી. વિશ્વના શક્તિશાળી દેશો આપણને ગંભીરતાથી લેતા નથી. આપણે અંદરોઅંદર જ વિખરાયેલા છીએ અને તેઓ આ વાત સારી રીતે જાણે છે.

આ પણ વાંચોઃ

Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

આ પણ વાંચોઃ

પંજાબમાં 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરાશે, ગ્રુપ C અને D ના કર્મચારીઓ માટે CM ભગવંત માનની મોટી જાહેરાત

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">