શું ભારતે હવે તેની પરમાણુ હથિયાર માટેની No First Use ની નીતિ બદલવાનો સમય આવી ગયો છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં થયેલા સંઘર્ષને કારણે સમગ્ર વિશ્વ જાણે ચિંતામાં મુકાઈ ગયુ હતુ. જેનુ કારણ એ છે કે પહેલીવાર એવુ બન્યુ કે બે પરમાણુ સંપન્ન દેશો એકબીજા સામે ટકરાયા હોય. જો કે આ બંને દેશોમાં બહુ મોટો ફર્ક છે. પાકિસ્તાને તેની પાસે ફુલ સ્પેક્ટ્રમ ડિફેન્સ રાખેલો છે. એટલે કે કોઈપણ હુમલાની સ્થિતિમાં ન્યૂક્લિયર તાકાતનું જોર બતાવી શકે છે. તો ભારતની નીતિ No First Use ની રહી છે. પરંતુ શુ ભારતની ન્યૂક્લિયર પોલિસી ફ્લેક્સીબલ છે ખરી? શું તેમા ફેરફાર શક્ય છે?

પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ઍર સ્ટ્રાઈક કરી. આ એક ટારગેટેડ ઓપરેશન હતુ. જેમા શોધી-શોધીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા. જે બાદ પાકિસ્તાન યુદ્ધ પર ઉતરી આવ્યુ. હવે બંને દેશો વચ્ચે સીઝફાયર છે. પરંતુ એવુ પહેલીવાર જોવા મળ્યુ કે બંને પાસે ન્યૂક્લિયર પાવર છે. ઈસ્લામાબાદમાં જે પ્રકારે રાજકીય અસ્થિરતાની સ્થિતિ રહેલી છે અથવા તો સેના અને આતંકી જૂથો સરકાર પર જે રીતે નિયંત્રણ લાવે છે તેને જોતા જોખમ ઘણુ વધુ જાય છે. તેઓ નાના-મોટા તણાવમાં પણ મોટા નિર્ણયો લઈ લે છે, ત્યારે ભારતે ખુદ પર કંટ્રોલ માટે No First Use ની પોલિસી બનાવી રાખી છે પાકિસ્તાન ભારતને લઈને હંમેશા આક્રમક રહ્યુ છે. છેલ્લા થોડા વર્ષોથી ચીન પણ ભારતની પ્રગતિથી પરેશાન છે અને સંબંધો બગાડી રહ્યુ છે. બંને પરમાણુ સંપન્ન દેશો છે. ભારત પાસે...
