AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Made In India : રક્ષા ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી શક્તિ બનવા તરફ ભારત, હવે ખાનગી ક્ષેત્ર પર નજર

આત્મનિર્ભર ભારતની મોટી ઉડાન માટે દેશે ખાનગી ક્ષેત્રોની પણ મદદ લેવી પડશે, તો જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની અસર છે કે હવે ભારત સ્વદેશીકરણ તરફ આગળ વધ્યું છે અને 14 હજાર કરોડની નિકાસ સુધી પહોંચી ગયું છે.

Made In India : રક્ષા ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી શક્તિ બનવા તરફ ભારત, હવે ખાનગી ક્ષેત્ર પર નજર
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 5:41 PM
Share

ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ આજથી 60 વર્ષ પહેલાં એટલે કે 8 નવેમ્બર, 1962ના રોજ અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં ચીનની આક્રમકતા પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે, મને આશા છે કે આ કટોકટી આપણને હંમેશા યાદ અપાવશે કે આધુનિક સેના આધુનિક શસ્ત્રો સાથે લડે છે, હથિયારોને તે દેશમાં બનાવવા પડે છે , જો કે એ અલગ વાત છે કે આ ભાષણના દાયકાઓ પછી પણ ભારત વિશ્વના સૌથી મોટો હથિયારોની આયાત કરનાર દેશ છે.

હકીકત એ છે કે અગાઉની સરકારોએ ઘરેલું હાર્ડવેર ઉત્પાદન વધારવા પર ગમે તેટલો ભાર મૂક્યો હોય, પરંતુ 2014 સુધી આ લક્ષ્યાંક ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થયો હતો. અત્યાર સુધી ભારતે અન્ય દેશોમાં 900 કરોડ રૂપિયાના શસ્ત્રો અને દારૂગોળાની નિકાસ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની અસર છે કે હવે ભારત સ્વદેશીકરણ તરફ આગળ વધ્યું છે અને 14 હજાર કરોડની નિકાસ સુધી પહોંચી ગયું છે.

2025 સુધીમાં 25 હજાર કરોડથી વધુનો નિકાસનો લક્ષ્યાંક

આ સિવાય લગભગ 300 વસ્તુઓ નો-ઈમ્પોર્ટ લિસ્ટમાં રાખવામાં આવી હતી. એરો ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીએ 2025 સુધીમાં નિકાસના સંદર્ભમાં 25000 કરોડથી વધુના આંકડાને સ્પર્શવાની વાત કરી હતી. આ વર્ષે આ સંખ્યા 19000 કરોડ સુધી પહોંચી ગઈ છે.

પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આટલો સમય કેમ લાગ્યો. જવાબ એ છે કે ન તો રક્ષા ક્ષેત્રે, ન તો રક્ષા પબ્લીક ક્ષેત્રે, ન તો ખાનગી ક્ષેત્રે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે કામ કર્યું હતું. એટલું જ નહીં, જ્યારે રક્ષા ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલવાની વિચારણા કરવામાં આવી હતી, ત્યારે કેટલાક રાજકીય પક્ષોએ તેને પારિવારિક વારસો વેચતા હોય તેવુ લાગતુ હતુ.

આ પણ વાચો: Delhi Mumbai Expressway: PM નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ વિકસિત ભારતની ભવ્ય તસવીર

મોદી સરકારની અંદર પણ કેટલીક ઈનહાઉસ એજન્સીઓએ ઉચ્ચ સ્તરીય અધિકારીઓને પત્રો લખ્યા હતા અને કહેવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ સિસ્ટમ વિકસાવવાની આરે છે, તેથી ખાનગી ક્ષેત્રો તરફ જોવાની જરૂર નથી. આ જ કારણ છે કે તુર્કી અને ઈરાન જેવા દેશો સશસ્ત્ર ડ્રોનની નિકાસ કરી રહ્યા છે, જ્યારે ભારત હજુ પણ આ માનવરહિત સ્ટેન્ડ-ઓફ વેપન ટેક્નોલોજીને બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ખાનગી ક્ષેત્રની મહત્વની ભૂમિકા

આ ઉપરાંત દેશમાં પેટન્ટની નોંધણીમાં લાંબા વિલંબ અને સરકારની કંટાળાજનક પ્રાપ્તિ પ્રક્રિયાઓને કારણે સ્વદેશી હાર્ડવેર ઉત્પાદનને પણ અસર થઈ છે. આ જ કારણ છે કે ખાનગી ક્ષેત્ર સંશોધન અને વિકાસમાં રોકાણ કરતું નથી. સાદી ભાષામાં કહીએ તો સરકાર પોતે જ પોતાના ખાનગી ક્ષેત્ર પાસેથી ખરીદી નહીં કરે તો દુનિયા શા માટે કરે?

આત્મનિર્ભર ભારત પ્રત્યે પીએમ મોદીની પ્રતિબદ્ધતામાં કોઈ શંકા નથી, પરંતુ આ પહેલ ભારતીય ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી જ સફળ થઈ શકે છે. હાલમાં ભારત 75 દેશોમાં રક્ષાના સાધનોની નિકાસ કરી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં દેશની સંરક્ષણ આયાત 6 ગણી વધી છે.

ભારત આવનારા સમયમાં વિશ્વના સૌથી મોટા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ દેશોમાં સામેલ થવા માટે સતત કામ કરી રહ્યું છે. આમાં ખાનગી ક્ષેત્રોની ખૂબ મહત્વની ભૂમિકા રહેશે. પીએમ મોદીએ ખાનગી ક્ષેત્રોને પણ સંરક્ષણ ક્ષેત્રે મોટાપાયે રોકાણ કરવાની અપીલ કરી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">