ઓસ્ટ્રેલિયામાં બનેલી ખાલિસ્તાની ઉગ્રવાદની ઘટનાઓ પર ભારતે દર્શાવી નારાજગી, કહ્યું- દોષિતોને સખત સજા કરો
અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે ઓસ્ટ્રેલિયામાં બનેલી ખાલિસ્તાની ઉગ્રવાદની ઘટનાઓ અને તોડફોડની સખત નિંદા કરીએ છીએ. અમે ખાલિસ્તાન જનમત અંગે અમારી નારાજગી જણાવી છે.
ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની ઉગ્રવાદની ઘટનાઓની ભારતે સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે આવી ઘટનાઓ અને તોડફોડની સખત નિંદા કરીએ છીએ. અમે ખાલિસ્તાન જનમત અંગે અમારી નારાજગી જણાવી છે. ભારતે ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની ઉગ્રવાદની ઘટનાઓની સખત નિંદા કરી હતી. ખાલિસ્તાન જનમત સંગ્રહને તેના અસ્વીકારની માહિતી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે ઓસ્ટ્રેલિયામાં બનેલી ખાલિસ્તાની ઉગ્રવાદની ઘટનાઓ અને તોડફોડની સખત નિંદા કરીએ છીએ. અમે ખાલિસ્તાન જનમત અંગે અમારી નારાજગી જણાવી છે. ત્યાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ સાથે મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે અમે ઉગ્રવાદી તત્વો દ્વારા આવા હુમલાઓની સખત નિંદા કરીએ છીએ. આ સાથે તેમણે સ્થાનિક અધિકારીઓને ગુનેગારોને આકરી સજા આપવાનો અનુરોધ પણ કર્યો હતો.
તેમણે કહ્યું કે અમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંબંધિત ઘટનાક્રમ અંગે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ સમક્ષ અમારી ચિંતાઓ વારંવાર જણાવી છે. તેમણે કહ્યું કે ભારતે ખાલિસ્તાન જનમત સંગ્રહ અને ઉગ્રવાદી તત્વો દ્વારા રાજકીય રીતે પ્રેરિત કવાયત સામે સખત નારાજગી વ્યક્ત કરી છે.
શું છે સમગ્ર મામલો?
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં છેલ્લા પખવાડિયા દરમિયાન ત્રણ ભારતીય મંદિરો પર થયેલા હુમલા બાદ હવે ત્યાં ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે ન માત્ર ભારતીયોના સમૂહ પર હુમલો કર્યો પરંતુ જાહેરમાં ભારતીય ધ્વજનું અપમાન પણ કર્યું હતું.
નોંધનીય છે કે, વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ભારત આ સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરના મહિનાઓમાં ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓ વધી હોવાથી ભારત ચિંતિત છે. કેનેડા, અમેરિકા અને બ્રિટન અત્યાર સુધી ખાલિસ્તાન સમર્થકોના ગઢ રહ્યા છે. હવે આ ક્રમમાં ઓસ્ટ્રેલિયાનો ઉમેરો થયો છે.