Breaking News: 7 વર્ષ પછી ભારત-ચીન આવ્યા સાથે, PM મોદી અને શી જિનપિંગ વચ્ચે 7 મુખ્ય મુદ્દાઓ પર થઈ ‘સહમતિ’
BRICS સમિટ 2026 દરમિયાન ભારત અને ચીન વચ્ચે 7 વર્ષ પછી મહત્વપૂર્ણ સહમતિ બની છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકમાં સીમા વિવાદ, વ્યાપાર અને વૈશ્વિક પડકારો સહિત 7 મુખ્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત UNSCમાં ભારતનું સમર્થન અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ જેવા મુદ્દાઓ પર પણ બ્રિક્સ સમિટમાં તમામ દેશોએ સહમતિ દર્શાવી છે.

BRICS સમિટ 2026 માંથી સારા સમાચાર આવ્યા છે કે, 7 વર્ષ પછી ભારત અને ચીને ખુલ્લા દિલથી એકબીજાની નીતિઓનું સમર્થન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વાસના ત્રણ ‘મ્યુચ્યુઅલ’ પર ભાર મૂક્યો છે.
આ ત્રણ ‘મ્યુચ્યુઅલ’ પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત છે. ખાસ વાત એ છે કે, BRICS સમિટમાં ભારત અને ચીન વચ્ચે 7 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સહમતિ બની.
ભારત-ચીન વચ્ચે 7 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ
- સંબંધોને વ્યુહાત્મક (રણનીતિક) અને લાંબાગાળાના દ્રષ્ટિકોણથી જોવામાં આવશે.
- મતભેદોને વિવાદમાં બદલાવા દેવામાં આવશે નહીં.
- સીમા વિવાદનો નિષ્પક્ષ અને સ્વીકાર્ય ઉકેલ શોધવામાં આવશે.
- વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવામાં આવશે.
- બંને દેશના લોકો વચ્ચે અવરજવરને પ્રોત્સાહન આપવામાં આવશે.
- આર્થિક અને વ્યાપારિક ચિંતાઓનો ઉકેલ શોધવામાં આવશે.
- પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર સહયોગ વધારવામાં આવશે.
વિવાદમાં ન બદલાવા જોઈએ મતભેદો
આ સાથે જ પીએમ મોદીએ સ્વીકાર્યું કે, બંને દેશો વચ્ચે મતભેદો છે પરંતુ તે મતભેદો વિવાદમાં બદલાવા ન જોઈએ. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે પણ સ્વીકાર્યું કે, વિશ્વની બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ‘ગ્લોબલ સાઉથ’ ના મહત્વપૂર્ણ સભ્યો તરીકે બંને દેશોની જવાબદારી મોટી છે. તેથી, સાથે મળીને કામ કરવું પડશે.
BRICS સમિટના બીજા દિવસે વર્લ્ડ લીડર્સને સંબોધિત કરતા પીએમ મોદીએ એ પણ કહ્યું કે, આપણી વિવિધતા એ જ આપણી ઓળખ રહે અને આપણો સહયોગ એ જ આપણી પ્રેરણા બને.
BRICS માં આ રીતે કામ આવી PM મોદીની ડિપ્લોમસી
નોંધનીય છે કે, ‘દિલ્હી’ પર દુનિયાની નજર છે. આમાં પીએમ મોદીની ડિપ્લોમસીની પરખ પણ થઈ રહી છે પરંતુ બ્રિક્સના ઘોષણાપત્રમાંથી જે વાતો સામે આવી છે, તે પોતાનામાં જ ભારતની જીત છે. આને નીચે જણાવેલ પાંચ પોઈન્ટ્સથી સમજી શકાય છે.
- UNSC માં હવે ચીન પણ ભારતનું સપોર્ટ કરશે, જે હંમેશાથી વિરોધ કરતું આવ્યું છે. ચીને ન્યૂ દિલ્હી ડિક્લેરેશન પર સાઇન પણ કર્યા છે.
- પહેલગામ ટેરર અટેકની નિંદા કરવામાં આવી.
- આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી. તમામ સભ્ય દેશોએ એક સુરે આના પર સહમતિ દર્શાવી છે.
- મિડલ-ઈસ્ટમાં શાંતિની પિરોકારી ભારત હંમેશા કરતું આવ્યું છે, તેના પર પણ બ્રિક્સની મહોર લાગી છે.
- તમામ દેશોએ એકસાથે મળીને ટેરિફને લઈને જે મનમાની ચાલી રહી છે, તેની સામે પ્રસ્તાવ પાસ કર્યો છે.
