AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરાનાથી ફફડાટ : દેશમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં 40 ટકાનો ઉછાળો, 3 હજારથી વધુ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે.

કોરાનાથી ફફડાટ : દેશમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં 40 ટકાનો ઉછાળો, 3 હજારથી વધુ કેસ નોંધાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 12:44 PM
Share

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસ વધવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરાયેલા નવા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓના પણ મોત થયા હતા, જેમાં 3 દર્દી મહારાષ્ટ્રના હતા.

વધતા સંક્રમણને પગલે આરોગ્ય વિભાગની વધી ચિંતા

સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,016 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઈકાલે એક દિવસ પહેલા બુધવારે 2,151 નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ દેશમાં દૈનિક પોઝિટિવિટી દર વધીને 2.73 % થયો છે.

ફરીથી વધતા કેસ વચ્ચે સક્રિય કેસોની સંખ્યા વધીને 13,509 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03% છે.રિકવરી રેટ 98.78% છે. તો બીજી તરફ કોરોનાથી મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે.  છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 6 દર્દીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા 6 દર્દીઓમાંથી 3 દર્દી મહારાષ્ટ્રના અને 2 દિલ્હીના હતા જ્યારે એક દર્દી હિમાચલ પ્રદેશનો હતો.

દિલ્હીમાં પણ વધી રહ્યા છે કોરોનાના કેસ

સતત વધી રહેલા કેસ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનામાંથી 1,396 દર્દીઓ સાજા પણ થયા છે. તો અત્યાર સુધીમાં રિકવરીની સંખ્યા વધીને 4,41,68,321 થઈ ગઈ છે.અગાઉ બુધવારે જારી કરાયેલી માહિતી અનુસાર કોરોનાથી સંક્રમણના 2,151 નવા કેસ નોંધાયા હતા અને આ કેસો છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ દૈનિક નોંધાયેલા કેસ હતા. ગયા વર્ષે 28 ઓક્ટોબરે એક જ દિવસમાં 2,208 નવા કેસ નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે બુધવારે પણ કોરોનાથી 4 દર્દીઓના મોત થયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં 3 અને કર્ણાટકમાં એક દર્દીનું મોત થયું હતું.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">