AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુરેનામાં હત્યાકાંડ વચ્ચે ફરિયાદી મદદની ભીખ માંગતો રહ્યો પણ પોલીસે કહ્યું મરતા હોય તો મરે… VIDEO VIRAL

મધ્યપ્રદેશના ના મુરેનામાં શુક્રવારે સવારે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના 6 લોકોના મોત થયા હતા.

મુરેનામાં હત્યાકાંડ વચ્ચે ફરિયાદી મદદની ભીખ માંગતો રહ્યો પણ પોલીસે કહ્યું મરતા હોય તો મરે... VIDEO VIRAL
In the midst of the massacre in Morena
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 11:33 AM
Share

મુરેનામાં હત્યાકાંડ વચ્ચે પોલીસ અને ફરિયાદી વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો, ફરિયાદી સિહોનિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસની સામે ભીખ માંગી, ઘરમાં સતત ગોળીબાર ચાલી રહ્યો હોવાની ફરિયાદ કરીને મદદ કરવા કહ્યું પણ પોલીસ એકની બે ન થઈ અને કહ્યું જાવ નથી આવવાના. તેમાં પોલીસ કહી રહી છે કે હા લોકો મરી જાય તો મરો.

પોલીસ અને ફરિયાદી વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો

મધ્યપ્રદેશના ના મુરેનામાં શુક્રવારે સવારે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના 6 લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

જે બાદ એક યુવક પોલીસ સ્ટેશન પહોચી પોલીસ પાસે મદદની ભીખ માંગે છે પણ પોલીસ અમે નથી આવવાના તેમ કહી રહી છે. તે સાથે યુવક પોલીસ સામે ગીડગીડાવે છે કે જલદી કરો લોકો મરી જશે. ત્યારે પોલીસ સામે થી કહી રહી છે કે મરતા હોય તો મરવા દો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે સાંભળી તમે પણ ચોકી જશો.

ગોળીબારમાં 6 લોકોના મોત

પોલીસના જણાવ્યા અનુસાર, મુરેનાના લેપાગાંવમાં રહેતા બંને પક્ષો વચ્ચે છેલ્લા સાતથી આઠ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2014માં પણ આ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ગોળી વાગવાથી 6 લોકોના મોત નીપજ્યા છે. જમીન વિવાદમાં શરૂ થયેલી આ દુશ્મની ચાલી રહી હતી કે શુક્રવારે ફરી એકવાર બંને પક્ષો સામસામે આવી ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પહેલા બંને પક્ષે લાકડીઓ મારી હતી.

આ દરમિયાન બંને પક્ષના લોકોએ દેશી બનાવટની પિસ્તોલથી એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બંને પક્ષના 6 લોકોના મોત થયા છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આમાંથી ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

બંને પક્ષો સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને, આરોપીઓની શોધમાં તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ઝઘડો સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ગામમાં એક નાના પ્લોટને લઈને થયો હતો. વાસ્તવમાં બંને પક્ષો આ પ્લોટ પર પોતપોતાનો દાવો કરી રહ્યા છે. આ બાબતે વર્ષ 2014માં પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">