2વર્ષ જેલમાં રહ્યા બાદ રામ રહીમમાં આવ્યુ આ મોટુ પરિવર્તન, ‘શાહી બાબા’ હવે કરે છે આ કામ
કેદી નંબર 8647 ગુરમીત સિંહને જેલમાં 2 વર્ષ થયા. રામ રહીમ ભગવાનની જેમ પૂજાતા હતા પણ 2 વર્ષથી જમીન પર આવી ગયા, તેઓ સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યા છે. જેલમાં બંધ થયા પછી ગુરમીત રામ રહીમ ફરી ચર્ચામાં આવ્યા છે. ડેરા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની વિશેષ CBI કોર્ટે 25 ઓગસ્ટ 2017એ સાધ્વીઓ સાથે […]
કેદી નંબર 8647 ગુરમીત સિંહને જેલમાં 2 વર્ષ થયા. રામ રહીમ ભગવાનની જેમ પૂજાતા હતા પણ 2 વર્ષથી જમીન પર આવી ગયા, તેઓ સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યા છે. જેલમાં બંધ થયા પછી ગુરમીત રામ રહીમ ફરી ચર્ચામાં આવ્યા છે.
ડેરા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને પંચકુલાની વિશેષ CBI કોર્ટે 25 ઓગસ્ટ 2017એ સાધ્વીઓ સાથે દુષ્કર્મના મામલે દોષી ઠરાવવામાં આવ્યા હતા. નિર્ણય 28 ઓગસ્ટે સુનારિયા જેલમાં જ જણાવ્યો હતો. સાધ્વીઓ સાથે દુષ્કર્મના મામલામાં 10-10 વર્ષ અને પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં આજીવન કેદની સજા ગુરમીત રામ રહીમને કોર્ટ આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રામ રહીમે જેલમાં મહેનત કરીને 15 કિલો વજન ઓછુ કરી લીધુ છે. તે ખેતી-વાડીથી પણ કમાણી કરી રહ્યા છે. જેલમાં રહીને તેમને શાકભાજી ઉગાડીને અત્યાર સુધી 18 હજાર રૂપિયાથી વધારેની કમાણી કરી છે. શાહી જીવન જીવતા ગુરમીત રામ રહીમમાં હવે ઘણો ફેરફાર થયો છે.
ગુરમીત 2 વખત પેરોલની અરજી કરી ચૂક્યા છે. એક વખત ખેતી-વાડી અને એક વખત બીમાર માતાની સારવાર માટે અરજી કરી હતી પણ ખેતીવાડીની અરજી જાતે જ પાછી લીધી હતી અને બીમાર માતાની સારવારની અરજીને જેલ પ્રશાસને જિલ્લા પ્રશાસનના રિપોર્ટના આધારે રદ કરી દીધી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગુરમીત રામ રહીમ ડાયાબિટીસના દર્દી છે અને ખાવા પીવામાં ધ્યાન રાખતા પણ જયારથી તે જેલમાં બંધ થયા છે. તેમનું સ્વાસ્થ્ય સારૂ ચાલી રહ્યું છે. એટલુ જ નહી લગભગ 15 કિલો વજન પણ ઓછુ થઈ ચૂક્યુ છે. જ્યારે જેલની સજા થઈ ત્યારે તેમનું વજન 105 કિલો હતું. હવે તેમનું વજન 90 કિલોની આસપાસ છે. 2 વર્ષમાં 100થી વધારે વખત પરિવારના લોકો ગુરમીત રામ રહીમને મળી ચૂક્યા છે.
[yop_poll id=”1″]
ગુરમીત રામ રહીમને જેલમાં ખેતી-વાડીનું કામ મળ્યું છે. તે 2 વર્ષમાં લગભગ એક ડઝન પ્રકારના શાકભાજી ઉગાડી ચૂક્યા છે. ગુરમીત રામ રહીમને 40 રૂપિયા પ્રતિદિવસ મહેનતાણું ચૂક્વવામાં આવે છે. ગુરમીતે જેલમાં કામના બદલામાં 18 હજાર રૂપિયાથી વધારેની કમાણી કરી છે. જ્યારથી ગુરમીત સુનારીયા જેલમાં આવ્યા છે, આ જેલ દેશની અતિસંવેદનશીલ જેલોમાં સામેલ થઈ ગઈ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]