AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Middle East Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ઈરાન-યુદ્ધ કેવી રીતે અટકશે? WITT 2026માં ખામેનેઈના પ્રતિનિધિએ આપી મહત્વની જાણકારી

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ખામેનેઈના પ્રતિનિધિએ જણાવ્યું કે ઈરાન એક સાથે સૈન્ય અને માહિતી આધારિત બે પ્રકારની લડાઈનો સામનો કરી રહ્યું છે અને યુદ્ધ અટકાવવું સરળ નથી.

Middle East Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ઈરાન-યુદ્ધ કેવી રીતે અટકશે? WITT 2026માં ખામેનેઈના પ્રતિનિધિએ આપી મહત્વની જાણકારી
| Updated on: Mar 24, 2026 | 3:03 PM
Share

અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ)ને લઈને વ્હાઈટ હાઉસ પ્રશાસન સતત પ્રયાસોમાં લાગ્યું છે. આ દરમિયાન ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતા મુજ્તબા ખામેનેઈના પ્રતિનિધિએ TV9 ભારતવર્ષ સાથે વાતચીત દરમિયાન યુદ્ધ કેવી રીતે અટકી શકે તે અંગે વિગતવાર માહિતી આપી છે. TV9 ભારતવર્ષના સત્તા સંમેલનમાં કાર્યક્રમમાં વાત કરતાં સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ ઇલાહી જણાવ્યું કે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી, કારણ કે તેનો ઇતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે.

ઇલાહીના કહેવા મુજબ ઈરાન ત્યારે જ સીઝફાયર પર સંમત થશે જ્યારે તેના પર કોઈ હુમલો નહીં થાય. જ્યાં સુધી અમેરિકા અને ઈઝરાયેલ તરફથી હુમલા ચાલુ રહેશે, ત્યાં સુધી આ સંઘર્ષનો અંત આવવો શક્ય નથી.

શક્તિશાળી રાષ્ટ્રોના ઘમંડને તોડવું ખૂબ જરૂરી છે – ઇલાહી

ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ઇલાહીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, કેવી રીતે શક્ય છે કે કોઈ નબળા દેશ પર શક્તિશાળી દેશ હુમલો કરે? દુનિયા આ બાબત પર ધ્યાન કેમ નથી આપતી? અમે માત્ર જવાબી કાર્યવાહી કરી છે અને અમે કોઈ નિર્દોષ વ્યક્તિનું લોહી વહાવ્યું નથી.

તેમના મુજબ શાંતિ સમગ્ર વિશ્વ માટે અત્યંત જરૂરી છે. ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવા ઈચ્છે છે. આ ચર્ચામાં લેબનાન, ગાઝા અને સીરિયા જેવા વિસ્તારોનો પણ સમાવેશ થવો જોઈએ, તેમજ જે લોકોના કબ્જામાં અન્ય દેશોની જમીન છે, તે મુદ્દાઓ પર પણ ચર્ચા થવી જોઈએ.

મધ્ય પૂર્વમાં શાંતિ કેવી રીતે શક્ય છે?

ઇલાહી મુજબ શાંતિ સ્થાપિત કરવા માટે સૌથી પહેલા વિશ્વના દેશોએ અમેરિકા પર દબાણ બનાવવું પડશે. તમામ દેશોએ આ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ કે ભવિષ્યમાં ઈરાન પર કોઈ હુમલો ન થાય. તેમણે એ પણ જણાવ્યું કે ઈરાનને થયેલા નુકસાન માટે વળતર આપવું જરૂરી છે, કારણ કે તેમના કહેવા મુજબ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

ઇલાહીએ સ્પષ્ટ કર્યું કે ઈરાન પોતાની ગૌરવ અને સ્વતંત્રતા સાથે કોઈ સમાધાન નહીં કરે. એક સંપ્રભુ દેશ તરીકે જે કરવું જોઈએ તે જ ઈરાન કરશે. ચર્ચા અને સમજૂતી કેવી રીતે થશે તે સર્વોચ્ચ નેતા નક્કી કરશે, પરંતુ ઈરાને પોતાની શરતો અને દિશા સ્પષ્ટ કરી દીધી છે.

બાબા રામદેવ અને રાહુલ ગાંધીને ઠંડી કેમ નથી લાગતી, TV9ના સત્તા સંમેલનમાં યોગ ગુરુ શું કહ્યું જાણો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">