AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab અને પાઘડીની સરખામણી ન થઈ શકે, Sonam Kapoorના નિવેદન પર ભડક્યા ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસા

કોંગ્રેસના નેતા સુનીલ જાખડના નિવેદન પર સિરસાએ કહ્યું, 'તેમની પાસે આગ લગાડવાનું કામ છે. કોંગ્રેસે હંમેશા શીખોનો ઉપયોગ જ કર્યો છે. અટેચીમાં સંતાડીને અફઘાનિસ્તાનમાંથી ગુરુ ગ્રંથ સાહિબ લાવવાનો હતો ત્યારે સુનીલ જાખર ક્યાં હતા?'

Hijab અને પાઘડીની સરખામણી ન થઈ શકે, Sonam Kapoorના નિવેદન પર ભડક્યા ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસા
BJP Leader Manjinder Singh Sirsa (Image- PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 5:57 PM
Share

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને દિલ્હી(Delhi) શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પૂર્વ અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ (Manjinder Singh Sirsa) હિજાબ (Hijab) અને પાઘડીની સરખામણી પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું છે કે આ તદ્દન વાહિયાત સરખામણી છે. મુસ્લિમ ધર્મમાં હિજાબ ફરજિયાત નથી, ન તો તેમના કોઈ ધાર્મિક ગ્રંથો કહે છે, પરંતુ તે દરેકની શ્રદ્ધા છે, દરેકનો ધર્મ છે, તેઓ કેવી રીતે તેનો અમલ કરવા માંગે છે. આ દરેકનો અધિકાર છે. બીજી તરફ દસ્તર એ શીખોના અંગનો એક ભાગ છે. આ બધું અમને ઘણા મોટા બલિદાન પછી મળ્યું છે. તેમણે કહ્યું, ‘બધા લોકોના ધર્મોનું સન્માન કરવામાં આવે છે. અમે તેની પ્રશંસા કરીએ છીએ, પરંતુ મને નથી લાગતું કે કોઈએ આવી સરખામણી કરવી જોઈએ, તે વાહિયાત છે.

મુંબઈમાં બેઠેલા કલાકારોનું કામ નૃત્ય કરવાનું છે અને તે મનોરંજન કરવા માટે તેમને પૈસા મળે છે. તેઓ દેશ પર કોઈ ઉપકાર કરતા નથી, તેઓ પૈસા માટે નાચે છે અને ગાય છે. હકીકતમાં, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે શીખ પાઘડીની તુલના હિજાબ સાથે કરી હતી.

જો બોલિવૂડ એક્ટર બોલતો નથી, તો એવો સવાલ પૂછવામાં આવે છે કે તેણે મૌન કેમ ધારણ કર્યું? આ સવાલના જવાબમાં સિરસાએ કહ્યું, ‘હું સન્માન સાથે કહું છું કે તેમનું કામ નૃત્ય અને ગાવાનું છે. તેઓએ તે કરવું જોઈએ. બોલિવૂડ કલાકારોએ આવા સંવેદનશીલ મુદ્દાઓ પર ખૂબ જ સંવેદનશીલતાથી નિવેદનો આપવા જોઈએ. હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે હિજાબ અને દસ્તરની સરખામણી કોઈપણ રીતે ન થઈ શકે અને જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સ્પષ્ટપણે બહાર આવ્યું કે દસ્તર કોઈ ધાર્મિક પ્રતીક નથી, તે પોતે એક ધર્મ છે.

કોંગ્રેસના નેતા સુનીલ જાખડના નિવેદન પર સિરસાએ કહ્યું, ‘તેમની પાસે આગ લગાડવાનું કામ છે, મુદ્દો કોઈ બીજાનો છે, પૂંછડી કોઈ બીજાની છે અને આગ કોઈ અન્ય લગાવે છે, કોંગ્રેસ આ જ ઈચ્છે છે. કોંગ્રેસે હંમેશા શીખોનો ઉપયોગ કર્યો છે. સુનીલ જાખડ ક્યાં હતા, સોનિયા ગાંધી ક્યાં હતા, રાહુલ ગાંધી ક્યાં હતા, પ્રિયંકા ગાંધી ક્યાં હતા જ્યારે અફઘાનિસ્તાનમાંથી બેગમાં છુપાયેલા ગુરુ ગ્રંથ સાહિબ લાવવાના હતા.

આ પણ વાંચો:

Tejas Combat Aircraft: દુનિયા જોશે ભારતના ‘તેજસ’ની શક્તિ, સિંગાપોર એર શોમાં હવામાં કરશે પરફોર્મ

આ પણ વાંચો:

સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">