AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu-Kashmir : હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને 15 વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ, અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા

દાલ લેકનો વિસ્તાર સામાન્ય નાગરિકો માટે 23 થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવ્યો છે.

Jammu-Kashmir : હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને 15 વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ, અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા
Union HM Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 7:20 AM
Share

Amit Shah Jammu-Kashmir Visit: ઘાટીમાં હિંસા અને આતંકવાદી ગતિવિધિઓએ ભૂતકાળમાં સમગ્ર દેશની ચિંતા વધારી છે. લઘુમતીઓ અને સ્થળાંતર કરનારાઓની હત્યા બાદ 12 વર્ષ પછી પૂંછ અને રાજૌરી જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે એટલે કે 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે. તો ચાલો પહેલા અમિત શાહની મુલાકાત પર એક નજર કરીએ.

અમિત શાહ આજે (23 -11-2021) સવારે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર (Srinagar) પહોંચશે. શ્રીનગરમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે જમ્મુ -કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરશે. 23 ઓક્ટોબરે સમગ્ર દિવસ દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, IB અધિકારીઓ, CRPF અને NIAના DG, આર્મી અધિકારીઓ અને જમ્મુ-કાશ્મીરના DGP સાથે બેઠક કરશે. 23 ઓક્ટોબરે જ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની હાજરીમાં તેઓ ઈન્ટિગ્રેટેડ હેડક્વાર્ટરની બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરશે.

તે જ દિવસે, શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર એટલે કે SKICC માં, પંચાયતના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓ 370 દૂર થયા બાદ વિકાસ કાર્યોનો પ્રતિસાદ લેશે. 24 ઓક્ટોબરે ગૃહમંત્રી જમ્મુમાં IIT ખાતે નવા બ્લોકનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે જમ્મુમાં એક જાહેર સભાને સંબોધશે. ત્યાર બાદ રાજભવનમાં કેટલાક પ્રતિનિધિમંડળોને મળવાનો કાર્યક્રમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ 24 ઓક્ટોબરની સાંજે શ્રીનગર પરત ફરશે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે તેઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વેપારી સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને મળશે. જમ્મુ-કાશ્મીરમાં બિન-મુસ્લિમ અને બિન-કાશ્મીરીઓ પર થયેલા હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્વની છે. ઘાટીમાં ISIના નાપાક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવા માટે પણ અમિત શાહની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આખું શહેર કિલ્લામાં ફેરવાઈ ગયું છે.

જમીન અને આકાશમાંથી દેખરેખ, દરેક જગ્યાએ સુરક્ષા કર્મચારીઓની તૈનાત CRPF ની મહિલા બ્રિગેડની તૈયારી. એટલે કે અભૂતપૂર્વ સુરક્ષાની વ્યવસ્થા અને આ તૈયારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે છે. જે અંતર્ગત શ્રીનગરને કિલ્લામાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. શ્રીનગરના લાલ ચોક ખાતે સઘન તપાસ ચાલી રહી છે. CRPFની 132 બટાલિયન અને ક્વિક એક્શન ટીમની મહિલા કમાન્ડો ચેકિંગ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. ઘાટીમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો અને લક્ષિત હત્યાઓ વચ્ચે ગૃહમંત્રીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી શ્રીનગરની સુરક્ષાને અભેદ્ય બનાવી દેવામાં આવી છે.

હાઇટેક ડ્રોન સર્વેલન્સ શ્રીનગરમાં દરેક જગ્યાએ સુરક્ષા દળોની તૈનાતી ઉપરાંત હાઈટેક ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. લઘુમતીઓ વસેલા વિસ્તારોમાં ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે. હાઇટેક ડ્રોન ઉપરાંત સ્નાઇપર્સ દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. શ્રીનગર અને પુલવામાના લગભગ 15 વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દાલ તળાવનો વિસ્તાર સામાન્ય નાગરિકો માટે 23 થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવ્યો છે.

જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે આ તમામ પગલાં આતંકવાદી હિંસા રોકવા માટે લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, વધતી આતંકવાદી ગતિવિધિઓને જોતા શ્રીનગરમાં રસ્તાઓ સાથે નવા બંકરો પણ બનાવવામાં આવ્યા છે અને હાઇ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. જેમાં જમ્મુ-કાશ્મીરનું પ્રવાસન મુખ્ય એજન્ડા હશે. આજે શ્રીનગર પહોંચેલા અમારા સંવાદદાતા અભિષેક ઉપાધ્યાયે આ મુદ્દે કેન્દ્રીય શિપિંગ, બંદરો અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર સાથે વાત કરી. જેમણે કહ્યું કે શ્રીનગરના દાલ લેક અને અન્ય તળાવોમાં ક્રૂઝ ચલાવવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો: KarvaChauth2021: આ વખતે કરવા ચોથ પર તમારી પત્નીને આપો આ ખાસ ભેટ, વધતી ઉંમર સાથે આવક પણ વધશે

આ પણ વાંચો: ISCON Temple Attack: બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરમાં હુમલાના પડઘા પડયા, કોલકાતામાં લાગ્યા પોસ્ટર તો પ્રદર્શનની કરી તૈયારી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">