AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘દીવાલ પર મૂર્તિ મળી’ – હિન્દુ પક્ષનો દાવો, આજે ત્રીજા દિવસે જ્ઞાનવાપીમાં થશે સર્વે

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની 4 ટીમો સર્વેમાં રોકાયેલી છે. ગઈકાલે એએસઆઈએ બે શિફ્ટમાં પાંચ કલાકથી વધુ સમય માટે મેપિંગ કર્યું હતું. સર્વેક્ષણ પછી, હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે ભોંયરાની દિવાલ પર માનવ અને પ્રાણીઓના શરીરવાળી મૂર્તિ મળી આવી હતી.

'દીવાલ પર મૂર્તિ મળી' - હિન્દુ પક્ષનો દાવો, આજે ત્રીજા દિવસે જ્ઞાનવાપીમાં થશે સર્વે
Gyanvapi masjid case
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 7:37 AM
Share

વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આજે સતત ત્રીજા દિવસે સર્વે યોજાશે. સવારે 8 વાગ્યાથી સર્વે શરૂ થશે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની 4 ટીમો સર્વેમાં રોકાયેલી છે. ગઈકાલે એએસઆઈએ બે શિફ્ટમાં પાંચ કલાકથી વધુ સમય માટે મેપિંગ કર્યું હતું. સર્વેક્ષણ પછી, હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે ભોંયરાની દિવાલ પર માનવ અને પ્રાણીઓના શરીરવાળી મૂર્તિ મળી આવી હતી.

આ પણ વાંચો: Friendship Day True Story: મહાન હાસ્ય કલાકાર હરસુખ કિકાણી કે જેમણે પોતાના ઘરનું નામ જ રાખી દીધું “મિત્રકૃપા’, વાંચો તેમની મિત્ર ભક્તિના કિસ્સા

ગઈકાલના સર્વે બાદ હિન્દુ પક્ષ વતી અરજી દાખલ કરનાર મહિલા સીતા સાહુએ મૂર્તિ મળી હોવાનો દાવો કર્યો છે. સીતા સાહુની વાત માનીએ તો કોની મૂર્તિ છે તેની તપાસ ચાલી રહી છે. શાહુએ કહ્યું છે કે મૂર્તિની આકૃતિ અડધી પ્રાણી અને અડધી માનવ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સર્વેના ડરથી મુસ્લિમ પક્ષે તેમાં કેટલીક મૂર્તિઓ છુપાવી દીધી છે. હિન્દુ પક્ષ ઇચ્છે છે કે કાટમાળ હટાવવામાં આવે.

ASIની ટીમ સાથે ઘણા વકીલો પણ સામેલ હતા

સર્વે દરમિયાન ASIની ટીમ સાથે અનેક વકીલો પણ સામેલ છે, જેમણે જણાવ્યું કે, સર્વે દરમિયાન કેટલીક જગ્યાએ મશીનો લગાવીને તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટના આદેશ મુજબ ખોદકામ અને તોડફોડ કર્યા વગર તપાસ કરવાની હોય છે. વકીલોના જણાવ્યા અનુસાર 40 ASI સભ્યોને ચાર ટીમોમાં વહેંચીને સર્વે ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ કાટમાળ જમા છે.

જીપીઆર ટેકનોલોજી સત્ય જાહેર કરશે!

તપાસમાં અનેક અત્યાધુનિક મશીનો પણ લગાવવામાં આવ્યા છે. જીપીઆર લગાવવામાં આવી રહ્યા છે. એએસઆઈના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર જનરલ બી.આર. મણિએ કહ્યું છે કે જીપીઆર ટેક્નોલોજીનું કામ કોઈ સ્ટ્રક્ચર તોડફોડ કર્યા વિના એ શોધવાનું છે કે પરિસરની નીચે કોઈ સંરચના દટાયેલી છે કે નહીં. એએસઆઈના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર જનરલ બી.આર. મણિએ જણાવ્યું કે જીપીઆર ટેક્નોલોજીમાં ઘણા પ્રકારના ખાસ ઉપકરણો સામેલ છે.

સર્વેમાંથી શું પ્રાપ્ત થશે?

આપને જણાવી દઈએ કે જ્ઞાનવાપી સર્વે દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું જ્ઞાનવાપી સંકુલ 17મી સદીના મંદિરની રચનાને તોડીને તેની ઉપર બનાવવામાં આવ્યું છે કે નહીં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
g clip-path="url(#clip0_868_265)">