AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gorakhpur: લેડી ડોને CM યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની આપી ધમકી, પોલીસ તપાસમાં લાગી

ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ દરમિયાન ટ્વિટ કરવામાં આવ્યું હતું કે સુલેમાનભાઈએ ગોરખનાથ મઠમાં આઠ જગ્યાએ બોમ્બ લગાવી દીધા છે. આનાથી યોગી આદિત્યનાથને જીવ ગુમાવવાનો વારો આવશે. ટ્વીટમાં ફરી એકવાર સીમા સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Gorakhpur: લેડી ડોને CM યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની આપી ધમકી, પોલીસ તપાસમાં લાગી
Yogi Adityanath - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 7:36 AM
Share

ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા હલચલ મચી જવા પામી છે. હકીકત એ છે કે, શુક્રવારે મધ્યરાત્રિએ સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ ગોરખપુર પોલીસ (Gorakhnath Temple) પ્રશાસનમાં હલચલ મચી ગઈ હતી. મેરઠની સાથે લેડી ડોન નામના ટ્વિટર એકાઉન્ટ પર લખનૌ વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. માહિતી મળ્યા પછી પોલીસે સાવચેતીના પગલા તરીકે ગોરખનાથ મંદિરની આસપાસના વાહનોની તપાસ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ લેડી ડોન નામના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે વિધાનસભા, લખનૌ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ મૂકવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ પણ મરી જશે. એક કલાક પછી ભીમ સેના પ્રમુખ સીમા સિંહ યોગી આદિત્યનાથને માનવ બોમ્બ તરીકે મારી નાખશે. રાશિદે બોમ્બ લગાવી દીધો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ દરમિયાન ટ્વિટ કરવામાં આવ્યું હતું કે સુલેમાનભાઈએ ગોરખનાથ મઠમાં આઠ જગ્યાએ બોમ્બ રાખી દીધા છે. આનાથી યોગી આદિત્યનાથ મરી જશે. ટ્વીટમાં ફરી એકવાર સીમા સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો. એક કલાક પછી એક ટ્વીટ થયું અને મેરઠમાં દસ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની વાત લખવામાં આવી હતી.

પોલીસ તપાસ કરી રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SSP ડૉ. વિપિન ટાડાએ કહ્યું કે તેમને આ મામલાની માહિતી મળી છે. મંદિર અને અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ક્યાંય પણ વાંધાજનક વસ્તુ મળી નથી. કોઈની ટીખળ જેવું લાગે છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજે મેનિફિસ્ટો જાહેર થશે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ છે. આ પહેલા ભાજપ રવિવારે એટલે કે આજે રાજ્યની જનતા સમક્ષ પોતાનો સંકલ્પ પત્ર રજૂ કરશે. પાર્ટીના આ સંકલ્પ પત્રના કેન્દ્રમાં ગરીબો, ખેડૂતો અને મહિલાઓ હશે. આ ઉપરાંત નવી રોજગારી સર્જન પર પણ ધ્યાન આપવામાં આવશે. પાર્ટી કેટલાક મહત્વના વચનો પણ આપી શકે છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રને મળતી વીજળી અંગે પણ કંઈક જાહેરાત કરી શકે છે.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપે વર્ષ 2017માં જે કહ્યું હતું તે તેમની સરકારે પૂર્ણ કર્યું છે. તેની તૈયારી માટે ભાજપે નાણામંત્રી સુરેશ ખન્નાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિના સભ્યોએ રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો.

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનનું નાક કાપ્યું છતાં પણ ના સુધર્યું, કાશ્મીરને લઈને કહ્યું કે, કાશ્મીરીઓ સાથે અમારા દિલ ધડકે છે

આ પણ વાંચો : Corona Vaccine: કેન્દ્ર સરકારે કોર્બેવેક્સ રસીના 5 કરોડ ડોઝની ખરીદી માટે આપ્યો ઓર્ડર, એક ડોઝની કિંમત 145 રૂપિયા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">