Delhi Fire Accident : દિલ્હી ગોકુલપુરી વિસ્તારની ઝૂપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, 7ના મોત અને 60 ઝૂંપડપટ્ટી બળીને ખાખ
ગઈકાલે રાત્રે ગોકુલપુરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા. આગ કાબુમાં આવી હતી. ફાયર વિભાગે માહિતી આપી છે કે, સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
દિલ્હીના ગોકુલપુરી (Gokulpuri) વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે રાત્રે લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા. આગ (Delhi Fire) કાબુમાં આવી હતી. ફાયર વિભાગે (Fire Department) માહિતી આપી છે કે સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આગના કારણે 60 ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મૃતદેહોને ઓળખ માટે મોર્ચરીમાં મોકલવામાં આવ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી ફાયર સર્વિસે મંગળવારે ઉત્તર પશ્ચિમ દિલ્હીના બવાનામાં પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે અન્ય સંસાધનો સાથે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આગ ઓલવવા માટે ફાયર વિભાગે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરી I-55, સેક્ટર-5, DSIDC બવાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી છે. તેમણે કહ્યું કે, ફાયર વિભાગને સવારે 07:47 વાગ્યે આગની માહિતી મળી હતી.
7 લોકોના થયા મોત
Seven people died in a fire that broke out in the shanties of Gokulpuri area last night. The fire was brought under control, seven bodies recovered by the Fire Department: Delhi Fire Service
— ANI (@ANI) March 12, 2022
પ્રથમ વખત કર્યો ડ્રોનનો ઉપયોગ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવા માટે 25 ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને લગભગ 100 કર્મચારીઓને આગ પર કાબૂ મેળવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે કે અમે આગને કાબૂમાં લેવા અને સંસાધનોના વધુ સારા સંકલન અને ઉપયોગ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો છે. કોવિડ-19 વેવ દરમિયાન આગની આવી મોટી ઘટના નોંધાઈ ન હતી.
ઉનાળાની શરૂઆત સાથે વધશે આગના બનાવો
તેમણે કહ્યું કે, ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થશે. ઇન્સ્ટોલ કરેલા કેમેરાવાળા ડ્રોન આગને વધુ સારી રીતે નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, તેની પાસે હાલમાં માત્ર એક જ ડ્રોન છે જે આગની માત્રા અને હદનો અંદાજ કાઢવા માટે અગ્નિશામકોને માર્ગદર્શન આપે છે અને તેના આધારે ચોક્કસ દિશામાં આગને કાબૂમાં લેવા માટે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, બવાનામાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે. દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે આગની બીજી માહિતી સવારે 11:33 વાગ્યે મળી હતી. નરેલાના સેક્ટર-3માં કાર્ડબોર્ડના કારખાનામાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે, આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.