AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Fire : મુંબઈના કાંજુરમાર્ગની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

મુંબઈના કાંજુરમાર્ગ વિસ્તારમાં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. વિક્રોલી કાંજુરમાર્ગ વિસ્તારના પૂર્વમાં આવેલા એન. જી. રોયલ પાર્ક વિસ્તારમાં આ આગની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ દસથી વધુ ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા માટે પહોંચી ગયા છે.

Mumbai Fire : મુંબઈના કાંજુરમાર્ગની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Massive fire breaks out in Mumbai's Kanjurmarg building
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 5:28 PM
Share

મુંબઈના (Mumbai) કાંજુરમાર્ગ વિસ્તારમાં એક ઈમારતમાં ભીષણ આગ (Fire breaks out in Mumbai) ફાટી નીકળી છે. વિક્રોલી કાંજુરમાર્ગ (Vikroli Kanjurmarg) વિસ્તારના પૂર્વમાં આવેલી એન. જી. રોયલ પાર્ક સોસાયટીની બી વિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ દસથી વધુ ફાયર ફાઈટર (Firefighter) આગ પર કાબુ મેળવવા માટે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ 11 માળની ઈમારતના નવમા અને દસમા માળે લાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, મુંબઈના વિક્રોલી-કાંજુરમાર્ગ ઈસ્ટ વિસ્તારમાં આવેલી આ ઈમારતમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. હાલ આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ બપોરે એક વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડે તેને લેવલ 2 ની આગ ગણાવી છે. ફાયર બ્રિગેડને લગભગ 1.15 કલાકે આગની માહિતી મળી હતી. પંદરથી વીસ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જાનહાનિના કોઈ અહેવાલ નથી

આ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિક્રોલી-કાંજુરમાર્ગ વિસ્તારના પૂર્વ ભાગમાં એનજી રોયલ પાર્ક બિલ્ડિંગ છે. આ ઇમારત અગિયાર માળની છે. સોમવારે બપોરે તેના નવમા અને દસમા માળે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ ઝડપથી ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર આ આગ લેવલ-2ની છે. ફાયર બ્રિગેડને લગભગ 1.15 કલાકે આગની માહિતી મળી હતી. આ પછી ફાયર બ્રિગેડની ટીમ છ ફાયર એન્જિન, ચાર જમ્બો ટેન્કર, બે વોટર ટેન્કર, એમ્બ્યુલન્સ અને અન્ય સાધનો સાથે પંદરથી વીસ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઓલવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.

આ પણ વાંચો :  યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">