Mumbai Fire : મુંબઈના કાંજુરમાર્ગની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

મુંબઈના કાંજુરમાર્ગ વિસ્તારમાં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. વિક્રોલી કાંજુરમાર્ગ વિસ્તારના પૂર્વમાં આવેલા એન. જી. રોયલ પાર્ક વિસ્તારમાં આ આગની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ દસથી વધુ ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા માટે પહોંચી ગયા છે.

Mumbai Fire : મુંબઈના કાંજુરમાર્ગની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Massive fire breaks out in Mumbai's Kanjurmarg building
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 5:28 PM

મુંબઈના (Mumbai) કાંજુરમાર્ગ વિસ્તારમાં એક ઈમારતમાં ભીષણ આગ (Fire breaks out in Mumbai) ફાટી નીકળી છે. વિક્રોલી કાંજુરમાર્ગ (Vikroli Kanjurmarg) વિસ્તારના પૂર્વમાં આવેલી એન. જી. રોયલ પાર્ક સોસાયટીની બી વિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ દસથી વધુ ફાયર ફાઈટર (Firefighter) આગ પર કાબુ મેળવવા માટે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ 11 માળની ઈમારતના નવમા અને દસમા માળે લાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, મુંબઈના વિક્રોલી-કાંજુરમાર્ગ ઈસ્ટ વિસ્તારમાં આવેલી આ ઈમારતમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. હાલ આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ બપોરે એક વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડે તેને લેવલ 2 ની આગ ગણાવી છે. ફાયર બ્રિગેડને લગભગ 1.15 કલાકે આગની માહિતી મળી હતી. પંદરથી વીસ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જાનહાનિના કોઈ અહેવાલ નથી

આ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિક્રોલી-કાંજુરમાર્ગ વિસ્તારના પૂર્વ ભાગમાં એનજી રોયલ પાર્ક બિલ્ડિંગ છે. આ ઇમારત અગિયાર માળની છે. સોમવારે બપોરે તેના નવમા અને દસમા માળે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ ઝડપથી ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર આ આગ લેવલ-2ની છે. ફાયર બ્રિગેડને લગભગ 1.15 કલાકે આગની માહિતી મળી હતી. આ પછી ફાયર બ્રિગેડની ટીમ છ ફાયર એન્જિન, ચાર જમ્બો ટેન્કર, બે વોટર ટેન્કર, એમ્બ્યુલન્સ અને અન્ય સાધનો સાથે પંદરથી વીસ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઓલવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.

આ પણ વાંચો :  યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">