Breaking News: આજે સાંજે મળશે મોદી કેબિનેટ 3.Oની પ્રથમ બેઠક, સંસદ સત્ર વહેલુ બોલાવવા અંગે થઈ શકે ચર્ચા-સૂત્ર

નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આ સાથે 71 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. મોદી કેબિનેટમાં મોટાભાગના જૂના ચહેરાઓને સ્થાન અપાયુ છે અને 33 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 મહિલા સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. આમાં રાજ્યસભા સાંસદ નિર્મલા સીતારમણનું નામ પણ સામેલ છે.

Breaking News: આજે સાંજે મળશે મોદી કેબિનેટ 3.Oની પ્રથમ બેઠક, સંસદ સત્ર વહેલુ બોલાવવા અંગે થઈ શકે ચર્ચા-સૂત્ર
Follow Us:
| Updated on: Jun 10, 2024 | 2:42 PM

મોદી કેબિનેટ 3.0ની આજે સાંજે પાંચ વાગ્યે પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં સંસદનું સત્ર વહેલુ બોલાવવા અંગે ચર્ચા થઈ શકે છે. થોડા દિવસોમાં પાર્લામેન્ટનું મોનસુન સેશન મળવા જઈ રહ્યુ છે.

નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આ સાથે 71 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. મોદી કેબિનેટમાં મોટાભાગના જૂના ચહેરાઓને સ્થાન અપાયુ છે અને 33 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 મહિલા સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યસભા સાંસદ નિર્મલા સીતારમણનું નામ પણ સામેલ છે. તો ગુજરાતથી નવનિયુક્ત સાંસદ નિમુબેન બાંભણિયાને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યુ છે.

2019માં જ્યારે મોદી 2.0 સરકારની રચના થઈ અને મંત્રીઓએ શપથ લીધા ત્યારે તેમની સરેરાશ ઉંમર 61 વર્ષની હતી. જો કે, વર્ષ 2021માં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે સરેરાશ વય 3 વર્ષ ઘટીને 58 વર્ષ થઈ ગઈ. મતલબ કે સરેરાશ ઉંમરની બાબતમાં મોદી સરકાર આ વખતે પણ પાછલા રેકોર્ડને રિપીટ કરતી જોવા મળી શકે છે.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

અનુરાગ, રૂપાલા અને રાણે કેબિનેટમાંથી બહાર

PM મોદીના બીજા કાર્યકાળમાં CCS (હોમ, ડિફેન્સ, ફાઇનાન્સ અને ફોરેન)માં સામેલ ચાર ચહેરાઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને એસ જયશંકરને ફરીથી કેબિનેટમાં તક મળી છે. પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, પ્રહલાદ જોશી અને હરદીપ પુરી પણ નવી સરકારનો હિસ્સો બન્યા છે. જો કે, અનુરાગ ઠાકુર, પરશોત્તમ રૂપાલા, રાજીવ ચંદ્રશેખર, સ્મૃતિ ઈરાની અને નારાયણ રાણે જેવા દિગ્ગજોને આ વખતે સરકારમાં સામેલ કરવામાં આવ્યા નથી. અનુરાગ, રૂપાલા અને રાણે પણ ચૂંટણી જીત્યા. કેરળમાં પહેલીવાર ભાજપને જીત અપાવનાર સુરેશ ગોપીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. લુધિયાણાથી ચૂંટણી હારી ગયેલા રવનીત સિંહ બિટ્ટુને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. બિટ્ટુ ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

6 પૂર્વ મુખ્યમંત્રીઓને પણ કેબિનેટ મંત્રી બનાવાયા

છ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જેમાં શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), મનોહર લાલ (હરિયાણા), સર્બાનંદ સોનોવાલ (આસામ), એચડી કુમારસ્વામી (કર્ણાટક), જીતન રામ માંઝી (બિહાર), રાજનાથ સિંહ (ઉત્તર પ્રદેશ)ના નામ સામેલ છે. રાજનાથ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી બન્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

Latest News Updates

મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
g clip-path="url(#clip0_868_265)">