ટ્વિટ કરીને ધાર્મિક ઉન્માદ ફેલાવવા બદલ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે FIR

Madhya Pradesh મુખ્યમંત્રી શિવરાજે ટ્વીટ કરીને રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના નિવેદન બાદ ભાજપના કાર્યકરો ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા અને પ્રદર્શન કર્યું.

ટ્વિટ કરીને ધાર્મિક ઉન્માદ ફેલાવવા બદલ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે FIR
Digvijay Singh ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 9:49 AM

ભોપાલ ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ (Digvijay Singh) વિરુદ્ધ ધાર્મિક ઉન્માદ ફેલાવવા બદલ કેસ નોંધ્યો છે. જણાવી દઈએ કે રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર મધ્યપ્રદેશના ખરગોન (Khargone violence) અને બરવાની જિલ્લાના સેંધવામાં પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ખરગોનમાં વધી રહેલા તણાવને કારણે કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે મંગળવારે એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં એક યુવક ધાર્મિક સ્થળ પર ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે. આ ટ્વીટ પરની ટિપ્પણીઓએ સાંપ્રદાયિક રંગ લેવાનું શરૂ કર્યું હતું. આ પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Chief Minister Shivraj Chauhan) ટ્વિટ કર્યું હતું કે દિગ્વિજય સિંહ દ્વારા ટ્વિટ કરીને ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દિગ્વિજય સિંહે જે ફોટો ટ્વિટમાં વાપર્યો છે તે મધ્યપ્રદેશનો નથી. આ પછી દિગ્વિજય સિંહે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું. આ બાબતને લઈને ભાજપના કાર્યકરો ભોપાલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા અને પ્રદર્શન કર્યું. આ પછી પોલીસે ચિત્તોડ કોમ્પ્લેક્સના રહેવાસી પ્રકાશ માંડેની ફરિયાદ પર દિગ્વિજય સિંહ સામે કેસ નોંધ્યો હતો. પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કરે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કલમ હેઠળ નોંધાઈ છે એફઆઈઆર

– 153(a): કોઈપણ ધર્મ અથવા સંપ્રદાય વિરુદ્ધ ધાર્મિક લાગણીઓનું એવુ કૃત્ય કે, જે લોકોમાં અશાંતિ અથવા અવરોધનું કારણ બને છે. આ કલમ હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

– 295(a): ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અંગેની કલમ.

– 505 (2): બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ, નફરતની લાગણી ઉભી કરવાના ઈરાદાથી કરાયેલ ખોટુ નિવેદન, આ કલમ હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.

આ પણ વાંચોઃ

વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, કટરાથી અર્ધકુવારી સુધીનો રોપવે, સ્કાય વોકને શ્રાઈન બોર્ડની મંજૂરી

આ પણ વાંચોઃ

Jallianwala Bagh Massacre : જલિયાવાંલા બાગ હત્યાકાંડના 103 વર્ષ બાદ પણ ઘા રૂઝાયા નથી, કંઈક આવી હતી આ ક્રુરતાની કહાની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">