AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, કટરાથી અર્ધકુવારી સુધીનો રોપવે, સ્કાય વોકને શ્રાઈન બોર્ડની મંજૂરી

માતા વૈષ્ણો દેવીના ભક્તોને હવે કટરાથી સીધા અર્ધકુઆંરી સુધી રોપ-વેની સુવિધા મળશે. આ ઉપરાંત બોર્ડે સ્કાય વોક અને નવા દુર્ગા ભવનને પણ મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ થશે.

વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, કટરાથી અર્ધકુવારી સુધીનો રોપવે, સ્કાય વોકને શ્રાઈન બોર્ડની મંજૂરી
Vaishno Devi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:39 AM
Share

માતા વૈષ્ણો દેવીના (Vaishno Devi) ભક્તો માટે સારા સમાચાર છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ (Manoj Sinha) મંગળવારે તાજેતરમાં નવા રચાયેલ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની (Vaishnodevi Shrine Board) બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં અનેક પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. આગામી દિવસોમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા ભક્તોને અનેક સુવિધાઓ જોવા મળશે. મનોજ સિન્હાએ કહ્યું કે વૈષ્ણોદેવીમાં સ્કાય વોક,(Sky Walk) ન્યૂ દુર્ગા ભવન, સ્પિરિચ્યુઅલ થીમ પાર્ક, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન જેવી ઘણી આધુનિક સુવિધાઓ સાથે કટરાથી અર્ધકુઆંરી સુધી રોપ-વેની સુવિધા હશે.

મનોજ સિન્હાએ કહ્યું કે દર વર્ષે દેશ-વિદેશથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. મનોજ સિન્હાએ માતા વૈષ્ણો દેવી મંદિર સંબંધિત તમામ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી અને નવા દુર્ગા ભવનનું વહેલી તકે નિર્માણ કરવા નિર્દેશ આપ્યો હતો. ટ્રાવેલ યુનિક મેનેજમેન્ટ (સ્કાયવોક) 9.89 કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડીંગ પર ભીડ એકઠી થતી અટકાવવા માટે બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 160 થી 170 મીટર અને પહોળાઈ 2.5 મીટર હશે. જેમાં બે રેસ્ક્યુ એરિયા પણ સામેલ હશે.

પેસેન્જર રોપવેના પ્રોજેક્ટને મંજૂરી આપતા બોર્ડે રોપવે કંપનીઓના સીઈઓને પેસેન્જરોની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત બોર્ડે કોર્પોરેટ ડોનેશન પોલિસી પણ સ્વીકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાઈન બોર્ડની સમગ્ર આવક શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા દાનથી ચાલે છે અને તેમાંથી વિકાસના કામો પણ થાય છે.

મનોજ સિન્હાએ કહ્યું કે કટરાથી અર્ધકુઆન્રી સુધી રોપ-વે સુવિધા શરૂ થવાથી ઘણા મુસાફરો ખાસ કરીને વૃદ્ધ અને અશક્ત મુસાફરોને ઘણી સુવિધા મળશે. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓને પણ આનાથી ઘણો ફાયદો થશે. હાલમાં માતા વૈષ્ણો દેવી ભવનથી ભૈરો મંદિર સુધી રોપ-વેની સુવિધા છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો યાત્રીઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા આવે છે. થોડા સમય પહેલા રેલવેએ મુસાફરોની સુવિધા વધારવાના ભાગરૂપે કટરા સુધી સીધી ટ્રેન દોડાવી હતી. માતા વૈષ્ણો દેવીની 14 કિમી લાંબી યાત્રા માટે બોર્ડે એક નવો માર્ગ પણ કાઢ્યો છે. જેના પર ઘોડા અને ખચ્ચર ચાલતા નથી. આ માર્ગ ખૂબ જ સ્વચ્છ છે અને મુસાફરોની સુવિધા માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Jallianwala Bagh Massacre : જલિયાવાંલા બાગ હત્યાકાંડના 103 વર્ષ બાદ પણ ઘા રૂઝાયા નથી, કંઈક આવી હતી આ ક્રુરતાની કહાની

આ પણ વાંચોઃ

એક ચપટી સિંદૂર બદલશે તમારું ભાગ્ય ! જાણો આ હનુમાન જયંતીએ કેવી રીતે મળશે પવનસુતની કૃપા ?

g clip-path="url(#clip0_868_265)">