AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની રેલી સ્થળથી 12 કિમી દૂર વિસ્ફોટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી, તપાસ ચાલુ

જમ્મુ કાશ્મીર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ અંગે જમ્મુ કાશ્મીર પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની રેલી સ્થળથી 12 કિમી દૂર વિસ્ફોટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી, તપાસ ચાલુ
Security forces in Kashmir (symbolic photo)Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 9:30 AM
Share

જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની રેલી સ્થળથી 12 કિમી દૂર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ વડાપ્રધાન મોદીના (PM Narendra Modi) આજના પંચાયતીરાજ દિવસ નિમિત્તે જમ્મુ કાશ્મીરમાં  (jammu kashmir) યોજાનારા કાર્યક્રમના સ્થળથી 12 કિમી દૂર લલિયાના ગામના એક ખેતરમાં થયો હોવાના અહેવાલ છે. જમ્મુ કાશ્મીર પોલીસની (Jammu and Kashmir Police) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ અંગે જમ્મુ કાશ્મીર પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના સબા જિલ્લાના પલ્લી ગામમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને સંબોધન કરવા જઈ રહ્યા છે. દરમિયાન તેમની મુલાકાત પહેલા એક ખેતરમાં વિસ્ફોટ થયો છે. જે જગ્યાએ વિસ્ફોટ થયો હતો તે આજે યોજાનારી રેલીના સ્થળથી માત્ર 12 કિમી દૂર સ્થિત છે. આ મામલાની તપાસ કરવા માટે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુના બિશ્નાહના લલિયાના ગામમાં વિસ્ફોટ થયો છે. પીએમ મોદીના આ કાર્યક્રમ માટે જમ્મુ શહેરથી 17 કિલોમીટર દૂર આવેલી પલ્લી પંચાયતને સુરક્ષાને લઈને એક પ્રકારે સીલ કરી દેવામાં આવી છે.

સીમા સુરક્ષા દળ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સહિત સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને પ્રવાસ પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર સભા સ્થળે 30,000 થી વધુ પંચાયત સભ્યો સહિત એક લાખથી વધુ લોકોને સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ, શનિવારે, સંયુક્ત સુરક્ષા ટીમો બારી બ્રાહ્મણથી પલ્લી ચોક સુધીના હાઇવે સાથેના સમગ્ર વિસ્તાર પર પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી, જેને વડા પ્રધાનના સ્વાગત માટે મોટા હોર્ડિંગ્સથી શણગારવામાં આવ્યા છે.

વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે પહોચવા માટેના વિવિધ સ્થળ, જિલ્લા મુખ્યાલય અને મહત્વપૂર્ણ સ્થાન તરફ જતા વિવિધ સ્થળોએ વધારાની સંયુક્ત સુરક્ષા ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સિવાય, સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક ઉચ્ચ સ્તરીય સર્વેલન્સ સાધનોને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. જમ્મુ ટ્રાફિક પોલીસે પહેલાથી જ વડાપ્રધાનની મુલાકાત અંગે એડવાઈઝરી જાહેર કરી છે અને લોકોને સ્થળ સુધી પહોંચવા માટે અમુક પ્રતિબંધો અને બદલાયેલા રૂટ પ્લાન જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃ

National Panchayati Raj Day : કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ જાહેર સભા કરશે, 20 હજાર કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

આ પણ વાંચોઃ

રાણા કપૂરનો આક્ષેપ, પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડમાં પેઈન્ટિંગ ખરીદવા કરાયુ હતુ દબાણ, એ રૂપિયામાંથી સોનિયા ગાંધીની વિદેશમાં કરાઈ સારવાર

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">