AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election 2023: નવા EVM મશીન પર થશે ચૂંટણી, આ સરકારી કંપનીઓને મળ્યા 1335 કરોડના ઓર્ડર

5 રાજ્યો બહુ મોટા છે. તે જ સમયે, આવતા વર્ષે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે નવા EVM મશીનો માટે ઓર્ડર આપ્યા છે. આ તમામ મશીનો સરકારી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે.

Election 2023: નવા EVM મશીન પર થશે ચૂંટણી, આ સરકારી કંપનીઓને મળ્યા 1335 કરોડના ઓર્ડર
EVM (File)Image Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 4:24 PM
Share

વર્ષ 2023 અને 2024 ભારતીય રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્તમાન વર્ષમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાંથી 5 રાજ્યો બહુ મોટા છે. તે જ સમયે, આવતા વર્ષે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે નવા EVM મશીનો માટે ઓર્ડર આપ્યા છે. આ તમામ મશીનો સરકારી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે. આ માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ને આપવામાં આવ્યું છે. બંને કંપનીઓને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સરકારે ઈવીએમ મશીનો માટે 1,335 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે.

આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે

  1. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટે નવા EVM મશીનની ખરીદીને મંજૂરી આપી દીધી છે.
  2. કેબિનેટમાં નવા EVM ઉપરાંત VV PAT ને અપગ્રેડ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
  3. આ વખતે સરકારે આ કામ માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડને મંજૂરી આપી છે.
  4. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ઈવીએમ ખરીદી માટે કુલ 1335 કરોડ રૂપિયા પાસ કર્યા છે. જેમાં VV PAT ને પણ અપગ્રેડ કરવામાં આવશે.
  5. અપગ્રેડેશન હેઠળ, VV PATs ને M2 થી M3 માં બદલવામાં આવશે.

આ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત

ત્રિપુરામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં એક જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે અહીં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ત્રણ પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ તારીખોની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ત્રણેય રાજ્યોમાં મતગણતરી 2 માર્ચે થશે. ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ ત્રણેય રાજ્યોમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.

ક્યાં કેટલી બેઠકો?

નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે સમાપ્ત થાય છે, જ્યારે મેઘાલય અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ અનુક્રમે 15 અને 22 માર્ચે સમાપ્ત થાય છે. ત્રણેય રાજ્યોની વિધાનસભાઓમાં 60-60 બેઠકો છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં આ વર્ષે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રિપુરામાં ભાજપનું શાસન છે, જ્યારે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સત્તામાં છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)નું શાસન છે.

કર્ણાટકમા  ચૂંટણી મે મહિનામાં યોજાવાની શક્યતા

આ ત્રણ રાજ્યો બાદ મે 2023માં કર્ણાટકમાં ચૂંટણી યોજાશે. કર્ણાટકમાં 29 મે 2018ના રોજ સરકારની રચના કરવામાં આવી હતી અને વિધાનસભાનો કાર્યકાળ 28 મે 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. દક્ષિણ ભારતના આ રાજ્યમાં વિધાનસભાની 224 બેઠકો છે. અહીં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ વર્ષ 2023માં અહીં પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (JDS) ફરી એકવાર સરકાર બનાવવાનો પ્રયાસ કરશે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">