કોરોનાની બીજી લહેર અને ચૂંટણી પહેલા સરકારોને અપાઈ હતી ચેતવણી, કોઈએ ના માની આ વૈજ્ઞાનિકની વાત
આઈસીએમઆરના ચેપી રોગોના વડા ડો.સમીરન પાંડા એ કહ્યું કે અનલોક થયા પછી લોકોની વર્તણૂક બદલાવાની શરૂઆત થઈ ગઈ હતી, લોકો કોરોના અને નિયમો પ્રત્યે લાપરવાહ બન્યા હતા.
દેશમાં કોરોનાની બીજી તરંગ ખૂબ તબાહી મચાવી રહી છે. મળેલી માહિતી અનુસાર આ અંગે સરકારને અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. લોકોની બેદરકારી અને ચૂંટણીના રાજ્યોની સ્થિતિ અંગે પણ અહેવાલો આપવામાં આવ્યા હતા.
આઇસીએમઆરના સંક્રામક રોગોના વડાએ જણાવ્યું હતું કે જનતા અને નેતા બંને જવાબદાર
રાજ્યોએ ઓછા કરી દીધા હતા ટેસ્ટ
આઈસીએમઆરના ચેપી રોગોના વડા ડો.સમીરન પાંડા દ્વારા આ વાત બહાર આવી હતી. તેમણે કહ્યું કે અનલોક થયા પછી લોકોની વર્તણૂક બદલાવાની શરૂઆત થઈ ગઈ હતી, લોકો કોરોના અને નિયમો પ્રત્યે લાપરવાહ બન્યા હતા.
વૈજ્ઞાનિકો સરકારને વારંવાર ચેતવણી આપતા રહ્યા, પાંચ ચૂંટણીલક્ષી રાજ્યો વિશે પણ આપી હતી ચેતવણી
દુર્ભાગ્યે, દેશના રાજકારણીઓ તેમાં તેમના સહયોગી ના બન્યા અને આજે આખું વિશ્વ તેનું પરિણામ જોઇ રહ્યું છે. એક તરફ, લોકોને સામાજિક અંતર વિશે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ચૂંટણી રાજ્યોમાં પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, કાર્યકરો વગેરે આ નિયમોને તોડી રહ્યા છે. ચૂંટણીની જાહેરાત પછી રાજ્યો એલર્ટ થઈ ગયા હતા, પરંતુ ત્યાંની સિસ્ટમે દેશના ચેપી રોગના નિષ્ણાતની સલાહને અવગણી હતી.
બીજી લહેર રોકવી પ્રજાના હાથમાં
ડોક્ટર પાંડા અનુસાર, આ પરિસ્થિતિ માટે આપણે બધા જ જવાબદાર છીએ. આમાં કોઈને દોષી ઠેરવી શકાય નહીં. જો આ લહેર બંધ કરાવી હોય તો નેતા અને જનતા બંનેએ સાવચેત રહેવું જોઇએ. નહીં તો ભવિષ્યમાં શું થવાનું છે? આ વાત કોઈને ખબર નથી.
ચેતવણી આપ્યા બાદ તો રાજ્યોએ ઘટાડી દીધા કોરોના ટેસ્ટ
આઈસીએમઆરએ બીજી લહેર આવે તે પહેલાં રાજ્ય સરકારોને વારંવાર ચેતવણી આપી હતી. તેમણે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ચાલી રહેલી પરિસ્થિતિ વિશે પણ ચેતવણી આપી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. તેથી વિપરીત કોરોનાની તપાસમાં ઘટાડો કર્યો હતો.
ચૂંટણીના મંચ પર ચર્ચા થવાની હતી
ડોક્ટર પાંડા માને છે કે જો ચૂંટણી મંચથી પ્રચાર પ્રસાર સાથે કોરોનાના નિયમોને લઈને જાગૃકતા પર વધુ જોર આપવામાં આવ્યું હોત તો કદાચ ઘણાબધા લોકો આને સમજીને અનુસર્યા હોત.
ચૂંટણી માટે ઓછા કરાયા કોરોના?
ગયા વર્ષે ઓગસ્ટમાં, બંગાળમાં 9,91,457 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે માર્ચમાં ઘટીને 6,12,284 પર પહોંચી ગયું છે. આસામમાં, જ્યાં ઓગસ્ટ દરમિયાન 8.36 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા. તે જ સમયે, ચૂંટણીની જાહેરાત થયા બાદ તપાસ દર ઘટી રહ્યો હતો અને ગયા મહિને માત્ર 2.14 લાખની ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમિળનાડુમાં, ચૂંટણી શરૂ થતાની સાથે જ ટેસ્ટની સંખ્યા 20 લાખ થી 13 લાખ સુધી આવી ગઈ હતી.
આ પણ વાંચો: કોરોના ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોનો મોટો દાવો, આ રીતે ફેલાય છે હવાથી કોરોના, વાંચો વિગત