Domestic Airlines: સરકારે સ્થાનિક એરલાઈન્સ કંપનીઓને આપી રાહત, હવે મહિનામાં 15 દિવસ સુધીનું ભાડું નક્કી કરી શકશે

TV9 GUJARATI

|

Updated on: Sep 18, 2021 | 11:30 PM

ગત વર્ષે મે 2020માં સરકારે કોરોનાના (Corona) સંક્રમણને ઘટાડવા માટે સ્થાનિક એરલાઈન્સની (Domestic Airlines ) ક્ષમતામાં 33 ટકાનો ઘટાડો કર્યો હતો. બાદમાં સરકારે ધીમે ધીમે ક્ષમતા વધારીને 45 ટકા કરી અને હવે તે 85 ટકા સુધી પહોંચી ગઈ છે.

Domestic Airlines: સરકારે સ્થાનિક એરલાઈન્સ કંપનીઓને આપી રાહત, હવે મહિનામાં 15 દિવસ સુધીનું ભાડું નક્કી કરી શકશે
File photo

Follow us on

દેશમાં કોરોનાનું (Corona) સંક્રમણ ઓછું થતા સ્થિતિ સુધરી રહી છે. આ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) શનિવારે સ્થાનિક એરલાઈન્સ કંપનીઓ (Domestic Airlines) માટે મુસાફરોની ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી છે. વળી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહિનામાં માત્ર 15 દિવસ માટે અમલીકરણ કરીને ભાડા બેન્ડનો નિયમ બદલ્યો છે, જે અસરકારક રીતે ફ્લાઈટ ટિકિટની કિંમતમાં વધારો કરી શકે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે જો વર્તમાન તારીખ 20 સપ્ટેમ્બર છે તો ભાડું બેન્ડ 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે, તેથી જો તમે 20 સપ્ટેમ્બરે 4 ઓક્ટોબરથી આગળની તારીખ માટે ફ્લાઈટ બુક કરી રહ્યા છો તો ભાડું બેન્ડ નહીં હોય. લાગુ તેવી જ રીતે, જો બુકિંગ 21 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે તો ફેર બેન્ડ ફક્ત 15 દિવસ માટે એટલે કે 5 ઓક્ટોબર સુધી લાગુ થશે.

વર્ષ 2020માં વિમાની ભાડાની અપર અને લોઅર લિમિટ નક્કી કરવામાં આવી હતી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વર્ષ 2020માં વિમાની ભાડાની અપર અને લોઅર લિમિટ નક્કી કરી હતી, જ્યારે લોકડાઉન દરમિયાન સ્થગિત કર્યા પછી સ્થાનિક ફ્લાઈટ્સ મર્યાદિત રીતે ફરી શરૂ થઈ હતી. આ અભ્યાસનો ઉદ્દેશ હવાઈ ટ્રાફિકને વેગ આપવાનો હતો, કારણ કે એવિએશન કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો પૈકી એક હતું. તાજેતરમાં મંત્રાલયે મર્યાદામાં સુધારો કર્યો છે અને અપર અને લોઅર લિમિટ બંનેની મર્યાદામાં વધારો કર્યો છે.

ઈમરજન્સી હવાઈ મુસાફરી પર સબસિડી ચાલુ રહેશે

ઈમરજન્સી હવાઈ મુસાફરી પર સબસિડી ચાલુ રહેશે, કારણ કે આ મર્યાદા 15 દિવસ અગાઉથી બુક કરાયેલી ટિકિટ પર લાગુ થશે. પરંતુ જો એક મહિના પહેલા ટિકિટ બુક કરવામાં આવે છે. જે મોટાભાગની પૂર્વ-નિર્ધારિત મુસાફરીઓ માટે હોય છે તો કિંમતની કોઈ મર્યાદા રહેશે નહીં, જેનો અર્થ છે કે એરલાઈન્સ પોતાનું ભાડું નક્કી કરવા માટે સ્વતંત્ર છે.

નોંધનીય છે કે ગત વર્ષે મે 2020માં સરકારે કોવિડના ફેલાવાના જોખમને ઘટાડવા માટે સ્થાનિક એરલાઈન્સની ક્ષમતામાં 33 ટકાનો ઘટાડો કર્યો હતો. બાદમાં સરકારે ધીમે ધીમે ક્ષમતા વધારીને 45 ટકા કરી અને હવે તે 85 ટકા સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : મુંબઈ લોકલમાં ઝેરી ગેસથી હુમલો કરવાની હતી યોજના? આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, મહારાષ્ટ્ર સરકારે વધારી સુરક્ષા

આ પણ વાંચો :Maharashtra: મુંબઈમાં ઘડાયુ હતુ આતંકી કાવતરુ, ટાર્ગેટ પર હતા રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati