AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે ખાનગી નોકરી કરો છો ? જો હા, તો ESIC અંગે જાણો, તમારા પરિવારજનોને સરકારની સ્વાસ્થ્ય યોજનાનો મળશે લાભ

ESIC યોજનાનો લાભ ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કારખાનાઓ અને ઉત્પાદન એકમોમાં કામ કરતા કર્મચારીઓ માટે છે. આ ESICનો મૂળ હેતુ ખાનગી ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓને અને તેમના પરિવારને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાનો છે.

તમે ખાનગી નોકરી કરો છો ? જો હા, તો ESIC અંગે જાણો, તમારા પરિવારજનોને સરકારની સ્વાસ્થ્ય યોજનાનો મળશે લાભ
| Updated on: Sep 10, 2026 | 2:46 PM
Share

કેન્દ્રીય શ્રમ મંત્રાલય ખાનગી ક્ષેત્રમાં ઓછી આવક ધરાવતા કર્મચારીઓ માટે ‘એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન’ (ESIC) નામની સ્વાસ્થ્ય યોજના ચલાવે છે. ESIC કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આજના જમાનામાં આવતા મોંધાદાટ તબીબી ખર્ચના આર્થિક બોજને ઘટાડવામાં મદદ કરે છે. હવે ‘કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, 2020’ની કલમ 142 હેઠળ એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે ESIC ઓળખ કાર્ડ માટે ‘આધાર સીડિંગ’ (આધાર લિંકિંગ) ફરજિયાત બનાવે છે. એટલે કે, ESIC કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું આવશ્યક છે.

ESIC યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રના કર્ચમારીઓ અને તેમના પરિવારજનોને મફત તબીબી સારવાર અને દવાઓ મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે, તેમણે ESIC ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે. તેમના ESIC કાર્ડ અને નોકરીદાતા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો સાથે નોંધણી કરાવીને, કર્મચારીઓ સારવાર કરાવી શકે છે અને મફત દવાઓ મેળવી શકે છે.

ESIC શું છે અને તેના લાભો કેવી રીતે મેળવી શકાય?

ESIC એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વાસ્થ્ય વીમા યોજના છે. જે ખાસ કરીને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ અણધાર્યા રોગ, અકસ્માત કે બિમારીની સ્થિતિમાં તબીબી સારવાર માટે લાભો પૂરા પાડે છે. તબીબી સારવારના લાભો માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ મળે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના સમયે કામદારો અને કામચલાઉ કર્મચારીઓને મદદ કરવાનો છે.

જોકે, તે ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓને લાગુ પડતી નથી. નિયમો અનુસાર, રૂપિયા 21,000 સુધીનો માસિક મૂળ પગાર (બેઝિક સેલરી) ધરાવતા કર્મચારીઓ આ યોજના માટે પાત્ર છે. દિવ્યાંગ કર્મચારીઓ માટે છૂટછાટ આપવામાં આવી છે, જેમની માટે મૂળ પગારની મર્યાદા રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી છે.

ESIC યોજના હેઠળ મળતા લાભોમાં માંદગીના લાભો, પ્રસૂતિ લાભો, પેન્શન લાભો, આશ્રિતો માટેના લાભો અને અપંગતાના લાભોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મફત સારવાર ESI હોસ્પિટલોમાં તેમજ તેમની સાથે સંલગ્ન અથવા તેમના દ્વારા રેફર કરવામાં આવેલી મુખ્ય હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.

નોકરિયાતો માટે મોટા સમાચાર, હવે ESIC કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત, જાણો ઓનલાઇન લિંક કરવાની સરળ રીત

Follow Us
સૌરાષ્ટ્રનાં રાજકારણની સાથે સોશિયલ મીડિયામાં જયેશ રાદડીયા ફરી ચર્ચામાં
સૌરાષ્ટ્રનાં રાજકારણની સાથે સોશિયલ મીડિયામાં જયેશ રાદડીયા ફરી ચર્ચામાં
Breaking News : દર્દીઓને લેબ રિપોર્ટ માટે ધક્કા નહી ખાવા પડે
Breaking News : દર્દીઓને લેબ રિપોર્ટ માટે ધક્કા નહી ખાવા પડે
ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બામાં રૂ.50નો વધારો
ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બામાં રૂ.50નો વધારો
આજનું રાશિફળ : નોકરીમાં વધશે દબદબો, વેપારમાં મળશે નવી ડીલ અને ધનલાભ
આજનું રાશિફળ : નોકરીમાં વધશે દબદબો, વેપારમાં મળશે નવી ડીલ અને ધનલાભ
ભાડૂઆતો અને મકાન માલિકો માટે મોટા ફેરફારો, જુઓ Video
ભાડૂઆતો અને મકાન માલિકો માટે મોટા ફેરફારો, જુઓ Video
બજારમાં આવ્યો AI કેમેરા વાળો ટૂથબ્રશ, જુઓ Video
બજારમાં આવ્યો AI કેમેરા વાળો ટૂથબ્રશ, જુઓ Video
સુપર બેકર્સમાં એવું શું મળ્યું? કે ફટકારાયો આટલો મોટો દંડ
સુપર બેકર્સમાં એવું શું મળ્યું? કે ફટકારાયો આટલો મોટો દંડ
મહિલાએ 30 સેકન્ડમાં બરીટો ખાઈને 'વર્લ્ડ રેકોર્ડ' તોડ્યો
મહિલાએ 30 સેકન્ડમાં બરીટો ખાઈને 'વર્લ્ડ રેકોર્ડ' તોડ્યો
ખેતી માટે ગુજરાતમાં 8 નહીં 10 કલાક વીજળી અપાશેઃ ઊર્જા પ્રધાન
ખેતી માટે ગુજરાતમાં 8 નહીં 10 કલાક વીજળી અપાશેઃ ઊર્જા પ્રધાન
હવામાન વિભાગે ખેડૂતો માટે આપ્યા સારા સમાચાર, આ તારીખોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે ખેડૂતો માટે આપ્યા સારા સમાચાર, આ તારીખોમાં પડશે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">