AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારે કોઈ પણ વાંક-ગુના વગર સીધા જ જેલમાં જવું છે ? પોલીસને 500 રૂપિયા આપો અને જેલમાં જાવ, જાણો વિગત

જો તમારે કોઈ પણ વાંક કે ગુના વગર જેલમાં જવું હોય તો, દેશના એક રાજ્યમાં પોલીસ તમને સીધા જ જેલમાં ઘકેલી દેશે. જો કે, તમારે જેલમાં જવું હોય તો પોલીસને રૂપિયા 500 આપવા પડશે. પોલીસ તમને 500 રૂપિયામાં 24 કલાક સુધી જેલના સળીયા પાછળ ધકેલી દેશે.

તમારે કોઈ પણ વાંક-ગુના વગર સીધા જ જેલમાં જવું છે ? પોલીસને 500 રૂપિયા આપો અને જેલમાં જાવ, જાણો વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2026 | 7:31 PM
Share

દેશની વિવિધ જેલ હવે માત્ર સજાનુ સ્થળ રહેવાના બદલે સુધારણાના કેન્દ્રોમાં વિકસિત થઈ છે. ગુના વિશે જાગૃતિ લાવવા અને લોકોને જેલ જીવનમાં પડતી મુશ્કેલીઓથી પરિચિત કરાવવા માટે ‘ફીલ ધ જેલ’ કાર્યક્રમ હૈદરાબાદની ચંચલગુડા જેલમાં અમલમાં મૂકાયો છે. આ પ્રકારના કાર્યક્રમ વડે યુવાનોમાં કાયદા પ્રત્યે આદર જગાડવો અને તેમને ગુનાના જીવનથી દૂર રાખવાનો છે.

તેલંગાણા જેલ વિભાગે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં એક નવીન પહેલ શરૂ કરી છે. સમાજમાં ગુના પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકોને જેલ જીવનની કઠોરતાથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે, “ફીલ ધ જેલ” કાર્યક્રમ અને અત્યાધુનિક તેલંગાણા જેલ સંગ્રહાલયનું લોકાર્પણ ગઈકાલ મંગળવારે 12 મે, 2026ના રોજ, તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું. મ્યુઝિયમની પ્રશંસા કરતા રાજ્યપાલે ટિપ્પણી કરી કે તે અસરકારક રીતે દર્શાવે છે કે કેવી રીતે જેલો, એ એક સમયે ફક્ત સજા આપવાના કેન્દ્રો જ હતા. આજે સુધારણા સુવિધાઓમાં રૂપાંતરિત થઈ ગઈ છે.

સંગારેડ્ડી સ્થિત ભૂતપૂર્વ જેલ સંગ્રહાલયની ઇમારતની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેને ચંચલગુડામાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી હતી. મ્યુઝિયમમાં હવે પ્રાચીન જેલ રેકોર્ડ, હાથકડી, કેદીઓને રોકવા માટે ઉપયોગમાં લેવાતી સાંકળો અને ફાંસીની સજા સાથે સંકળાયેલ દુર્લભ કલાકૃતિઓનું પ્રદર્શન છે. જેલનો ઇતિહાસ કેદીઓના બેરેકના મોડેલો, પેઇન્ટિંગ ગેલેરી અને ઑડિઓ-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ દ્વારા વર્ણવવામાં આવે છે. એક ખાસ વિભાગ 1961 અને 1968 વચ્ચે નાગાર્જુન સાગર ડેમના નિર્માણ દરમિયાન કેદીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ પર પ્રકાશ પાડે છે.

સામાન્ય લોકો હવે 12 – 24 કલાક જેલમાં રહી શકશે

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને જેલ જીવનનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવાનો છે. એટલા માટે સાવ નજીવી ફી ચૂકવીને, કોઈ પણ વ્યક્તિઓ જેલની અંદર 12 કે 24 કલાક સુધીનો સમય વિતાવી શકે છે. આ અનુભવમાં જેલનો ગણવેશ પહેરવો, જેલનો ખોરાક લેવો, કડક શિસ્તનું પાલન કરવું અને વાસ્તવિક કેદીઓની જેમ દૈનિક દિનચર્યાઓમાં જોડાવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ માટે નોંધણી કરાવવા માટે રૂપિયા 500ની અગાઉથી ચુકવણી કરવી જરૂરી છે. સહભાગીઓ માટે કડક નિયમોને આધીન રહીને 24 કલાક સુધી જેલમાં રહી શકે છે. મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર સખત પ્રતિબંધ છે. જેલ અધિકારીઓએ જણાવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ જેલ પરિસરમાંથી તેમનો સમય પૂરો થાય તે પહેલાં બહાર નીકળશે તેના પર રૂપિયા 1,000 નો દંડ લાદવામાં આવશે.

આ કાર્યક્રમ ફક્ત મનોરંજન માટે નથી, તેના બદલે, અધિકારીઓને આશા છે કે જેલ જીવનની મુશ્કેલીઓ જોઈને, યુવાનો ગુના તરફ વળતા અટકાવશે અને કાયદાનો આદર કરવાનું શીખશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જેલ શિસ્ત અને જેલ પાછળના જીવનની વાસ્તવિકતાઓ વિશે જાગૃતિ લાવવાનો છે.

નોંધણી કેવી રીતે કરાવવી?

મુલાકાતીઓની સુવિધા માટે જેલ સંકુલમાં એક કાફેટેરિયા સ્થાપિત કરવામાં આવ્યું છે. આ અનોખા અનુભવનો લાભ લેવા માટે રસ ધરાવતા લોકો www.telanganajailexperience.com વેબસાઇટ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી શકે છે. વધુ માહિતી માટે, તમે 94946 32046 પર સંપર્ક કરી શકો છો. ચંચલગુડા જેલની પહેલ જે સજા કરતાં સુધારાને પ્રાથમિકતા આપે છે – સમગ્ર દેશમાં એક મિસાલ સ્થાપિત કરી રહી છે. આ સંગ્રહાલયનો અંતિમ ધ્યેય જેલ પ્રણાલી પ્રત્યે ડર પેદા કરવાને બદલે લોકોને જવાબદાર નાગરિક બનવા માટે શિક્ષિત કરવાનો છે.

Breaking News : મોદી સરકારે કપાસ, તુવેર, મગ, બાજરી સહીત ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા, સરખેજથી ધોલેરા સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને આપી મંજૂરી

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">