આકાશમાંથી વરસી આફતઃ યુપીમાં વીજળી પડવાથી 14 લોકોના મોત, CM યોગીએ 4-4 લાખના વળતરની જાહેરાત કરી

બાંદામાં વીજળી (Thunder Stroke)પડવાથી 4 લોકોના મોત થયા છે. તો ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

આકાશમાંથી વરસી આફતઃ યુપીમાં વીજળી પડવાથી 14 લોકોના મોત, CM યોગીએ 4-4 લાખના વળતરની જાહેરાત કરી
UPમાં વીજળી પડવાથી 14ના મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:50 AM

ચોમાસાની આ સિઝનમાં જ્યાં એક તરફ વરસાદે કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવી છે તો કેટલાક રાજ્યોમાં વરસાદ (Rain)આફત બનીને આવ્યો છે. ક્યાંક પૂર આવ્યું છે તો ક્યાંક વીજળી (Thunder Stroke)પડવાથી લોકોના મોત થઈ રહ્યા છે. તાજો મામલો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)નો છે. અહીં અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો દાઝી ગયા છે. આ ઘટનાઓ બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે.

બાંદામાં સૌથી વધુ ચાર લોકોના મોત

રાજ્યની રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી સૌથી વધુ ચાર લોકોના મોત બાંદામાં થયા છે. આ સિવાય ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર વિવિધ જિલ્લાાં વીજળી પડવાથી 16 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને આપ્યા નિર્દેશ

રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીજળી પડવાથી થયેલા મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતા સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કુદરતી આપત્તિથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. આદિત્યનાથે વીજળી પડવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના સુધી ચોમાસાની ઉદાસીનતા બાદ બુધવારથી સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેનાથી લોકોને ભારે ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">