હવામાનની માફક બદલાતી રહે છે રાકેશ ટિકૈતની માંગ, હવે ખેડૂત સંગઠનમાં ઉભા થયા મતભેદો
છેલ્લા 11 મહિનાથી દિલ્હીની સરહદ પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના નેતાઓ, સરકારે કૃષિ કાયદા પાછા ખેંચી લીધા તેને પોતાની જીત ગણાવવા લાગ્યા છે. સરકારે કૃષિ કાયદા પાછા ખેચ્યા બાદ હવે, MSP ગેરંટી અને ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા તમામ રાજ્યોમાં કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે.
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની(Rakesh Tikait) માંગણીઓ પણ હવામાનની જેમ બદલાય છે. સૌ પ્રથમ, તેમની માંગ કેન્દ્ર સરકાર પાસેથી ત્રણેય કૃષિ કાયદાઓ (Agricultural bills) પાછા ખેંચવાની હતી, ગુરુ પૂર્ણિમાના દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ખેડૂતોની તે માંગને સ્વીકારી અને આ ત્રણેય કૃષિ કાયદા (Farmer bills) પરત લેવાનુ બીલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા અને કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા. છેલ્લા 11 મહિનાથી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના (Farmer protest) નેતાઓ તેને પોતાની જીત ગણાવવા લાગ્યા.
જ્યારે કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર એક્ટને પાછો ખેંચી લીધો, હવે તે પછી MSP ગેરંટી અને ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા તમામ રાજ્યોમાં કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી. ટિકૈતે તો એમ પણ કહ્યું કે 26 જાન્યુઆરી દરમિયાન દિલ્હી પોલીસે જે ટ્રેક્ટર રોક્યા હતા તે હવે તમામ ખેડૂતોને પાછા આપવામાં આવે. આ સાથે હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને યુપીમાં તેમની સામે નોંધાયેલા 55 હજારથી વધુ કેસ પાછા ખેંચવા જોઈએ. ત્યાર બાદ ખેડૂત હડતાળ ખતમ કરવાનું વિચારશે.
રાકેશ ટિકૈતની આ બંને માંગણીઓ પર ભાર મૂક્યા બાદ હવે અન્ય ખેડૂત નેતાઓ પણ આના પર ભાર મુકી રહ્યા છે. ખેડૂત નેતા ચધુનીએ ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી ખેડૂતો પર દાખલ કરાયેલા કેસો પરત લેવામાં નહીં આવે અને MSP ગેરંટી આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાછા હટશે નહીં. બે દિવસ પહેલા રાકેશ ટિકૈતે પોતાના ઈન્ટરનેટ મીડિયા એકાઉન્ટ પરથી એક નવું ટ્વિટ કર્યું હતું,
તેમણે તેમા લખ્યું હતું કે, સરકાર દરેક વસ્તુનું ખાનગીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે, તેથી જ કૃષિ કાયદા પણ બનાવવામાં આવ્યા હતા, હવે તે પાછા ખેંચી લેવામાં આવ્યા છે, હવે સરકાર બેંકોનું ખાનગીકરણ કરી રહી છે. શું કરવું. આ માટેનું બિલ પણ સંસદમાં રજૂ કરવામાં આવશે. હવે તે બેંકોના ખાનગીકરણ સામે પણ આંદોલન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટ્વિટર પર તેમણે લખ્યું કે હવે ખાનગીકરણ સામે દેશવ્યાપી આંદોલનની જરૂર છે. આ માટે તેણે એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું.
આ પણ વાંચોઃ
ઑમિક્રૉન રોગપ્રતિકારક શક્તિ તોડશે તો ત્રીજી લહેરની શકયતા વધારે છે : ડૉ.દિલીપ માવલંકર
આ પણ વાંચોઃ