AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્લી જાસૂસી કેસ : મનીષ સિસોદિયા વિરુદ્ધ FIR નોંધવા માટે સીબીઆઈએ LG પાસે માંગી પરવાનગી

દિલ્લી સરકાર પર ફીડબેક યુનિટ દ્વારા જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. સીબીઆઈએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પાસે આ મામલે મનીષ સિસોદિયા અને અન્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે પરવાનગી માંગી છે. એલજીએ આ કેસની ફાઇલ ગૃહ મંત્રાલયને મોકલી આપી છે.

દિલ્લી જાસૂસી કેસ : મનીષ સિસોદિયા વિરુદ્ધ FIR નોંધવા માટે સીબીઆઈએ LG પાસે માંગી પરવાનગી
Manish Sisodia, dycm, DelhImage Credit source: ANI
| Updated on: Feb 08, 2023 | 5:35 PM
Share

દિલ્લીની ચૂંટાયેલી સરકાર પર સીબીઆઈનો પંજો સતત ફેલાઈ રહ્યો છે. સીબીઆઈએ કહ્યું છે કે, દિલ્લી સરકારના ફીડ બેક યુનિટ (FBU)એ રાજકીય જાસૂસી કરી છે. સીબીઆઈએ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી છે. આ મામલે એલજીએ ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલયને ફાઇલ મોકલી આપી છે. 2015માં સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીની સરકારે પોતાના વિજિલન્સ વિભાગને મજબૂત કરવા માટે ફીડબેક યુનિટ બનાવ્યું હતું. આરોપ છે કે આના દ્વારા નેતાઓની જાસૂસી કરવામાં આવી હતી.

AAPએ સત્તામાં આવ્યા બાદ ફીડબેક યુનિટની રચના કરી હતી

દિલ્લીની આમ આદમી પાર્ટીની સરકાર રાજકીય જાસૂસી માટે ફીડબેક યુનિટનો ઉપયોગ કરતી હતી. આ વખતે સીબીઆઈએ તેના રિપોર્ટમાં તેનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ કહ્યું છે કે આ યુનિટ દિલ્લી સરકારના વિભાગોના કામકાજ પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિક હેતુ કંઈક બીજું જ બહાર આવ્યું. CBIએ મનીષ સિસોદિયા વિરુદ્ધ FIR નોંધવાની પરવાનગી માંગી છે.

FBU ની રચના 2015 માં કરવામાં આવી હતી. 2016માં વિજિલન્સ વિભાગના એક અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની આડમાં જાસૂસી કરવામાં આવી રહી છે. 2015માં જ આ યુનિટ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને બાદમાં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

મામલો સામે આવતા સીબીઆઈને સોપાઈ તપાસ

લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ જોડાયાના થોડા મહિના પછી, AAP સરકાર દ્વારા પ્રોજેક્ટ્સ પર પ્રતિસાદ એકત્રિત કરવા અને કર્મચારીઓમાં ભ્રષ્ટાચારની જાણ કરવા માટે સ્થાપિત ફીડબેક યુનિટને બરતરફ કરવામાં આવ્યું હતું અને તેની ઓફિસ કાયમ માટે બંધ કરી દેવામાં આવી હતી. અગાઉ, લેફ્ટનન્ટ ગવર્નર રહેલા નજીબ જંગે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લીધા વિના ગુપ્ત રીતે ફીડબેક યુનિટની સ્થાપના માટે તપાસનો મામલો સીબીઆઈને સોંપ્યો હતો અને ત્યારથી સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.

દિલ્લી સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નરે ફીડબેક યુનિટ પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ સમગ્ર યુનિટ વિવાદમાં આવી ગયું હતું. સરકારે કેબિનેટના નિર્ણય દ્વારા 2015માં ફીડબેક યુનિટની રચના કરી હતી. 39 લોકોની ભરતી કરવાનું આયોજન હતું. પરંતુ સરકાર માત્ર 20 લોકોની જ ભરતી કરી શકી હતી, ત્યારે જ વિવાદ શરૂ થયો હતો. જેની ભરતી કરવામાં આવી હતી તેમાંના મોટા ભાગના અર્ધલશ્કરી દળોના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરના રેન્કના નિવૃત્ત કર્મચારીઓ હતા.

સીબીઆઈની ચાર્જશીટમાં સિસોદિયાનું નામ સામેલ

આ લોકો પર એવો આરોપ હતો કે સરકાર આ લોકો દ્વારા રાજકીય જાસૂસી કરાવી રહી છે. આવી ફરિયાદ બાદ સીબીઆઈએ તપાસ શરૂ કરી અને 2021માં સીબીઆઈએ તેના ડાયરેક્ટરને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપ્યો. હવે આ સંબંધમાં, સીબીઆઈએ મનીષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા માટે એલજી ઓફિસ પાસે પરવાનગી માંગી છે. અગાઉ દિલ્લીની નવી એક્સાઈઝ પોલિસીમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં મનીષ સિસોદિયાનું નામ સામેલ હતું. હવે આ ચાર્જશીટમાં સીએમ અરવિંદ કેજરીવાલનું નામ સામેલ કરવાનો મામલો સામે આવી રહ્યો છે.

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">