ઉશ્કેરણીજનક નિવેદન પર બબાલ: દિલ્હી પોલીસે નુપુર શર્મા, સબા નકવી, મુફ્તી નદીમ સહિત 9 લોકો સામે FIR નોંધી

દિલ્હી પોલીસે પયગંબર મોહમ્મદ (Prophet Muhammad Row) વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો છે. દરેક સામે વાતાવરણ બગાડવાનો આરોપ છે.

ઉશ્કેરણીજનક નિવેદન પર બબાલ: દિલ્હી પોલીસે નુપુર શર્મા, સબા નકવી, મુફ્તી નદીમ સહિત 9 લોકો સામે FIR નોંધી
વિવાદીત નિવેદન બદલ દિલ્હી પોલીસની એફઆઇઆરImage Credit source: ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:21 AM

પયગંબર મોહમ્મદ (Prophet Muhammad Row) વિશે ટિપ્પણી કરીને ચર્ચામાં આવેલા ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા સહિત 9 લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. સ્પેશિયલ સેલના સાયબર યુનિટ દ્વારા FIR નોંધવામાં આવી છે. આ તમામ લોકો પર ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને વાતાવરણ બગાડવાનો આરોપ છે. નુપુર શર્મા (Nupur Sharma)ઉપરાંત સાયબર યુનિટે ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાન મુફ્તી નદીમ, અબ્દુલ રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુન સામે પણ કેસ નોંધ્યો છે. કેસ નોંધાયા બાદ હવે પોલીસ (Delhi Police)આ કેસની તપાસ કરી રહી છે. નુપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી વિવાદ ઘણો વધી ગયો. આરબ દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી. ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ટીપ્પણીઓ ભાજપના મૂળ વિચારની વિરુદ્ધ છે.

નૂપુર શર્માએ માફી માંગી

પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ નુપુર શર્માએ પોતાની ટિપ્પણી બદલ માફી પણ માંગી હતી. તેણીએ કહ્યું કે હું મારા શબ્દો પાછા લઉં છું. તેણે કહ્યું કે મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દિલ્હી પોલીસે સુરક્ષા આપી હતી

જ્યારે મામલો સામે આવ્યો ત્યારથી નુપુર શર્માને સતત ધમકીઓ મળી રહી છે. જે બાદ દિલ્હી પોલીસે નુપુર શર્માને સુરક્ષા પુરી પાડી હતી. નુપુર શર્માએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી દિલ્હી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે નુપુર શર્મા અને તેના પરિવારની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">