AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીથી પટના જઈ રહેલ ફ્લાઈટની બ્રેકમા ગરબડ, વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ

ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા. બ્રેકમાં ખામી હોવાની જાણ થતાં જ તમામ મુસાફરોએ જીવ અધ્ધર થઈ ગયા હતા.

દિલ્હીથી પટના જઈ રહેલ ફ્લાઈટની બ્રેકમા ગરબડ, વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ
emergency landing
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 10:01 AM
Share

દિલ્હીથી પટના જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને ડાયવર્ટ કરીને ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ કરવામાં આવી છે. લગભગ 3 કલાક પછી ફ્લાઈટે દોરાબા પટના માટે ટેક ઓફ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટની બ્રેકમાં ગડબડ થતા લેન્ડ કરવામાં આવી હતી. આ કારણસર ફ્લાઇટને વારાણસીમાં લેન્ડ કરાવવામાં આવી હતી.

આ દરમિયાન એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પેસેન્જર્સે કહ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ્સમાં હંમેશા કંઈક ને કંઈક થતુ રહેતુ હોય છે.

વારાણસીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીગ

જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી ઉડતી સ્પાઈસ જેટની ફ્લાઈટ (SG 8721) બિહારની રાજધાની પટનામાં લેન્ડ થવાની હતી, પરંતુ ટેકઓફ થયાના થોડા સમય બાદ હવામાં જ ફ્લાઈટની બ્રેકમાં થોડી ગડબડી થઈ હતી. આના પર પાયલટે ફ્લાઈટને વારાણસી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી. પાયલોટે એટીસીનો સંપર્ક કર્યો અને વારાણસી એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડ કરવાની પરવાનગી માંગી. ATC તરફથી પરવાનગી મળ્યા બાદ ફ્લાઈટનું વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

બ્રેકમાં ખામી હોવાના કારણે લેન્ડીંગ કરાયું

ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા. બ્રેકમાં ખામી હોવાની જાણ થતાં જ તમામ મુસાફરોએ જીવ અધ્ધર થઈ ગયા હતા. ફ્લાઇટ ફરીથી જવા માટે એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોએ જણાવ્યું કે ઘણીવાર સ્પાઇસ જેટની ફ્લાઇટમાં કેટલીક સમસ્યા આવે છે. છ કલાકમાં બે કલાકની મુસાફરી કરવી પડે છે. આ દરમિયાન કેટલાક મુસાફરોએ વિલંબને લઈને સ્પાઈસ જેટ કંપનીના અધિકારીઓ સાથે ઉગ્ર દલીલ પણ કરી હતી. જોકે, સ્થળ પર હાજર CISFના જવાનોએ દરમિયાનગીરી કરીને મુસાફરોને શાંત પાડ્યા હતા.

દિલ્હીથી પટના આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને ટેક્નિકલ ખામીના કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેને વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

સ્પાઈસ જેટના અધિકારીઓ સાથે મુસાફોની બોલાચાલી

જે બાદ વારાણસીથી ઉડાન ભર્યા બાદ આ વિમાન લગભગ ત્રણ કલાક મોડું સવારે 11.30 વાગ્યે પટના એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ત્યારબાદ 140 મુસાફરો સાથે 12.05 કલાકે દિલ્હી જવા રવાના થયા હતા. ફ્લાઈટ મોડી પડતા ત્રણ કલાક સુધી પટનાથી દિલ્હી જતા મુસાફરો પરેશાન થયા હતા. આ દરમિયાન એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોએ સ્પાઈસ જેટના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. કોઈક રીતે સીઆઈએસએફએ મુસાફરોને સમજાવીને શાંત કર્યા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">