દિલ્હી-NCRની ધરા ધ્રુજી, રાત્રે 1.57 વાગ્યે અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, નેપાળમાં 6ના મોત
Earthquake News : તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં (Delhi-NCR) મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.3ના આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રાત્રે લગભગ 1.57 વાગ્યે આ ભૂકંપના આંચકાથી લોકો અચાનક જાગી ગયા હતા. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે દિલ્હી-એનસીઆરમાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.
કેન્દ્ર પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં
સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેપાળના દોતી જિલ્લામાં ભૂકંપ બાદ મકાન ધરાશાયી થતાં લગભગ 6 લોકોના મોત થયા છે. આ ઘટના રાત્રે 2.12 કલાકે બની હતી. આ પછી પણ નેપાળમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાનની જાણ નથી
ભૂકંપના આ આંચકાથી દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાન થયું નથી, તેમ છતાં લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા દરમિયાન લોકોએ ઘરમાં પંખા હલતા હોવાનો અહેસાસ કર્યો હતો. સાથે જ લોકોએ કંપન પણ અનુભવ્યું હતું. ભૂકંપના આંચકા બાદ લોકો ટ્વિટર પર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. સૌરભ નામના ટ્વિટર હેન્ડલે ટ્વિટ કર્યું, “હું સૂઈ રહ્યો હતો અને અચાનક બેડ ઝડપથી ધ્રૂજી ગયો… શું દિલ્હીમાં ભૂકંપ આવ્યો છે?” તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, “ભૂકંપના આંચકાથી એવું લાગ્યું કે કોઈ મને ઝડપથી હલાવી રહ્યું છે.”
Nepal | An earthquake of magnitude 6.3 occurred in Nepal, Manipur at around 1.57 am on Nov 9. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology
Strong tremors from the earthquake were also felt in Delhi pic.twitter.com/YNMRQiPEud
— ANI (@ANI) November 8, 2022
જણાવી દઈએ કે, આ પહેલા 6 નવેમ્બરે ઉત્તરાખંડ અને 1 નવેમ્બરે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.