દિલ્હી-NCRની ધરા ધ્રુજી, રાત્રે 1.57 વાગ્યે અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, નેપાળમાં 6ના મોત

Earthquake News : તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

દિલ્હી-NCRની ધરા ધ્રુજી, રાત્રે 1.57 વાગ્યે અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, નેપાળમાં 6ના મોત
Earthquake in China
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 9:05 AM

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં (Delhi-NCR) મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.3ના આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રાત્રે લગભગ 1.57 વાગ્યે આ ભૂકંપના આંચકાથી લોકો અચાનક જાગી ગયા હતા. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે દિલ્હી-એનસીઆરમાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

કેન્દ્ર પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં

સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેપાળના દોતી જિલ્લામાં ભૂકંપ બાદ મકાન ધરાશાયી થતાં લગભગ 6 લોકોના મોત થયા છે. આ ઘટના રાત્રે 2.12 કલાકે બની હતી. આ પછી પણ નેપાળમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાનની જાણ નથી

ભૂકંપના આ આંચકાથી દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાન થયું નથી, તેમ છતાં લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા દરમિયાન લોકોએ ઘરમાં પંખા હલતા હોવાનો અહેસાસ કર્યો હતો. સાથે જ લોકોએ કંપન પણ અનુભવ્યું હતું. ભૂકંપના આંચકા બાદ લોકો ટ્વિટર પર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. સૌરભ નામના ટ્વિટર હેન્ડલે ટ્વિટ કર્યું, “હું સૂઈ રહ્યો હતો અને અચાનક બેડ ઝડપથી ધ્રૂજી ગયો… શું દિલ્હીમાં ભૂકંપ આવ્યો છે?” તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, “ભૂકંપના આંચકાથી એવું લાગ્યું કે કોઈ મને ઝડપથી હલાવી રહ્યું છે.”

જણાવી દઈએ કે, આ પહેલા 6 નવેમ્બરે ઉત્તરાખંડ અને 1 નવેમ્બરે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">