AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Case: કોર્ટે મનીષ સિસોદિયાની ED કસ્ટડી 5 દિવસ માટે લંબાવી

ED એમ કહીને મનીષ સિસોદિયાના રિમાન્ડની માંગણી કરી હતી કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. તેઓને સામસામે બેસાડીને ત્રણ લોકોની પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક IAS અધિકારીનો સમાવેશ થાય છે. ઇડી વતી ઝોહેબ હુસૈન હાજર રહ્યા હતા.

Delhi Liquor Case: કોર્ટે મનીષ સિસોદિયાની ED કસ્ટડી 5 દિવસ માટે લંબાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 5:14 PM
Share

Delhi Liquor Case: મનીષ સિસોદિયાની ED કસ્ટડી વધુ 5 દિવસ માટે લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવતા સિસોદિયાના રિમાન્ડ વધુ 5 દિવસ માટે લંબાવ્યા હતા. જોકે, કોર્ટે તેને તેના પરિવારના ખર્ચ અને તેની પત્નીના મેડિકલ ખર્ચ માટે રૂ. 40,000 અને રૂ. 45,000ના ચેક પર સહી કરવાની મંજૂરી આપી છે. અગાઉ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

મનીષ સિસોદિયા વારંવાર નિવેદન બદલી રહ્યા છે

ED એમ કહીને સિસોદિયાના રિમાન્ડની માંગણી કરી હતી કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. તેઓને સામસામે બેસાડીને ત્રણ લોકોની પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક IAS અધિકારીનો સમાવેશ થાય છે. ઇડી વતી ઝોહેબ હુસૈન હાજર રહ્યા હતા. બીજી તરફ મનીષ સિસોદિયાના વકીલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ફોન બદલવાનો કેસ સીબીઆઈની કસ્ટડીનો ભાગ હતો, હવે તેના આધારે રિમાન્ડ આપી શકાય નહીં.

કોર્ટમાં ED એ કહ્યું કે દારૂ કૌભાંડના પુરાવા નષ્ટ કરવા માટે 14 ફોન તોડવામાં આવ્યા

આ પહેલા દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની કસ્ટડીની માગ કરતા EDના વકીલ હુસૈને કહ્યું હતું કે પુરાવાનો નાશ કરવા માટે એક વર્ષમાં 14 ફોન તોડવામાં આવ્યા છે અથવા બદલવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાએ અન્ય લોકો દ્વારા ખરીદેલા ફોન અને સિમ કાર્ડ્સ (જે તેમના નામે નથી)નો ઉપયોગ કર્યો છે જેથી તે પછીથી તેનો બચાવ તરીકે ઉપયોગ કરી શકે. તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોન પણ તેના નામે નથી.

EDએ કહ્યું કે, એક જૂથને ફાયદો પહોંચાડવા માટે જૂની દારૂની નીતિમાં તમામ ફેરફારો કરવામાં આવ્યા હતા. નિષ્ણાત સમિતિની ભલામણોની અવગણના કરવામાં આવી હતી અને જથ્થાબંધ વેપારીઓના નફામાં વધારો કરવામાં આવ્યો હતો. જેથી કેટલીક ખાનગી સંસ્થાઓને ભારે લાભ મળી શકે. પ્રોફિટ માર્જિન 6 થી 12 ટકા ફિક્સ કરવા માટે હિસ્સેદારો પાસેથી કોઈ સૂચનો લેવામાં આવ્યા નથી.

સિસોદિયાના તત્કાલિન સચિવને ટાંકીને EDના વકીલે કહ્યું કે તેમના સૂચન પછી પણ સિસોદિયાએ GOM રિપોર્ટને નબળો પાડ્યો હતો. સિસોદિયાના વકીલે કહ્યું કે, ED અનુસાર આ એક ખામીયુક્ત નીતિ છે. ચૂંટાયેલી સરકારો નીતિઓ બનાવે છે. તે વિવિધ સ્તરોમાંથી પસાર થાય છે. તે સરકાર, અમલદારો, નાણા અને કાયદા સચિવો દ્વારા પસાર થાય છે. પોલિસી એલજીને પણ મોકલવામાં આવી હતી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">