દિલ્હી સરકારનો મોટો નિર્ણય: આટલા દિવસ સુધી ભીમરાવ આંબેડકરના જીવન પર કરવામાં આવશે નાટક

ફિલ્મ અભિનેતા રોહિત રોયે કહ્યુ હતુ કે, મેં બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વની ભૂમિકા ભજવવાનો પૂરો પ્રયાસ કર્યો છે,મને આશા છે કે લોકો આ શો જોશે.

દિલ્હી સરકારનો મોટો નિર્ણય: આટલા દિવસ સુધી ભીમરાવ આંબેડકરના જીવન પર કરવામાં આવશે નાટક
CM Arvind Kejriwal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:40 PM

Delhi: અરવિંદ કેજરીવાલની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (CM Arwind Kejriwal) કહ્યું હતુ કે દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે બાબા ભીમ રામ આંબેડકર સાહેબના (Baba Bhimrao Ambedkar) જીવન પર નાટકો કરવામાં આવશે. જેમાં 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી દરરોજ બે શો થશે, આ શોની ટિકિટ સંપૂર્ણ ફ્રી રહેશે. વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે રોહિત રોય બાબાસાહેબની ભૂમિકા ભજવશે.

આ એક મેગા ઈવેન્ટ હશે: CM કેજરીવાલ

તેના કાર્યક્રમ માટે 100 ફૂટ મોટું અને 40 ફૂટનું ફરતું સ્ટેજ લગાવવામાં આવશે. આ વિશ્વનો સૌથી મોટો સ્ટેજ શો અને એક મેગા ઈવેન્ટ (Mega Event) હશે. હું સામાન્ય લોકોને અપીલ કરીશ કે આ શો જોવા આવે અને બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધપાઠ લે. ઉપરાંત મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યુ કે ડિસેમ્બર મહિનામાં દિલ્હી સરકારે (Delhi Government) નિર્ણય લીધો હતો કે અમે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન પર એક મોટો કાર્યક્રમ યોજીશુ. આ નાટક 5 જાન્યુઆરીએ શરૂ થવાનું હતું, પરંતુ ઓમિક્રોનને કારણે તેને મુલતવી રાખવું પડ્યું. આ કાર્યક્રમ હવે 25 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે.

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કર્યો હતો આ દાવો

તમને જણાવી દઈએ કે અગાઉ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ (Manish Sisodia) ડિસેમ્બરમાં દાવો કર્યો હતો કે દેશની અગ્રણી વ્યક્તિના જીવન પરનો આ કાર્યક્રમ સૌથી મોટો શો હશે. પરંતુ જ્યારે કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવા અંગે પૂછવામાં આવ્યુ, ત્યારે નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે હાલના ધારાધોરણો અનુસાર થિયેટર અને સિનેમા હોલ ચલાવવામાં આવી રહ્યા છે અને અમે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈશુ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

વધુમાં તેમણે કહ્યું હતુ કે આ શો ફ્રી હશે, પરંતુ ઓનલાઈન પ્રી-બુકિંગ કરાવવાનું રહેશે. નાટકના અભિનેતા રોહિત રોયે કહ્યુ હતુ કે મેં બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વની ભૂમિકા ભજવવાનો પૂરો પ્રયાસ કર્યો છે મને આશા છે કે લોકો આવશે અને શો જોશે.

આ પણ વાંચો : Unnao Murder Case: ઉન્નાવ હત્યા કેસમાં રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ કહ્યું- ઉત્તર પ્રદેશમાં આ નવું નથી, ભાજપ જવાબ આપે

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">