AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: દિલ્હીમાં વટહુકમ પર વિવાદ યથાવત, અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને જૂની ટ્વિટની યાદ અપાવી

આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વટહુકમને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે પીએમ મોદીનું 10 વર્ષ જૂનું ટ્વીટ શેર કર્યું છે અને પૂછ્યું છે કે તેઓ આ વટહુકમ કેમ લાવ્યા.

Delhi: દિલ્હીમાં વટહુકમ પર વિવાદ યથાવત, અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને જૂની ટ્વિટની યાદ અપાવી
Arvind Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 12:41 PM
Share

કેન્દ્ર સરકારે દિલ્હીમાં (Delhi) ટ્રાન્સફર પોસ્ટિંગના અધિકારને લઈને વટહુકમ બહાર પાડ્યો છે, જેના પર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વટહુકમને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે પીએમ મોદીનું 10 વર્ષ જૂનું ટ્વીટ શેર કર્યું છે અને પૂછ્યું છે કે તેઓ આ વટહુકમ કેમ લાવ્યા.

દેશના પીએમ બંધારણનું પાલન કરતા નથી: અરવિંદ કેજરીવાલ

દેશની રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલાની સ્થિતિ છે. દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી આ વટહુકમનો વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર પોસ્ટિંગ પર પોતાનો ચુકાદો આપી દીધો છે તો પછી આ વટહુકમ કેમ લાવવામાં આવ્યો. પીએમ મોદી પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું હતું કે દેશના પીએમ બંધારણનું પાલન કરતા નથી.

આ પણ વાંચો : Karnataka: CM સિદ્ધારમૈયા સામે મોટો પડકાર, મફત ગેરંટી તો લાગુ કરી, પરંતુ હવે પૈસા ક્યાંથી આવશે?

દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ નીતિશ કુમાર આજે અરવિંદ કેજરીવાલના ઘરે જશે. અહીં બંને નેતાઓની મુલાકાત થશે. બિહારના સીએમ નીતીશ કુમાર આ દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિપક્ષને એકજૂટ કરવામાં વ્યસ્ત છે. તેઓ સતત વિરોધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. નીતીશનું માનવું છે કે તમામ પક્ષોએ ભાજપ સામે એક થઈને આ વખતે ચૂંટણી લડવી જોઈએ, જેથી તેમને કારમી હાર અપાવી શકાય.

નીતિશ ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓને એક કરવામાં વ્યસ્ત

આ પહેલા સીએમ નીતિશ કુમાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મળી ચૂક્યા છે. તે જ સમયે, નીતિશ કુમારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ વિપક્ષી એકતા માટે હાકલ કરી હતી. ગત શનિવારે નીતીશ કર્ણાટકના પ્રવાસે હતા. જ્યાં તેમણે સીએમ સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો. નીતિશ કુમારના આ ઠરાવને બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવનું સમર્થન પણ મળ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં હવાની ગુણવત્તા ફરી પ્રદૂષિત
Breaking News : અમદાવાદમાં હવાની ગુણવત્તા ફરી પ્રદૂષિત
તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, બિઝનેસનું કામ તમને વ્યસ્ત રાખશે
તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, બિઝનેસનું કામ તમને વ્યસ્ત રાખશે
ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ?
ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ?
MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?
MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?
g clip-path="url(#clip0_868_265)">